મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં માલધારી સમાજ બુધવારે બે લાખ લિટર દૂધ નહીં વહેંચે


SHARE











મોરબી જીલ્લામાં માલધારી સમાજ મંગળવારે બે લાખ લિટર દૂધ નહીં વહેંચે

ગુજરાત માલધારી મહા પંચાયત દ્વારા સરકારના ઢોર નિયંત્રણ કાયદાને કાળો કાયદો ગણાવવામાં આવ્યો છે અને આગામી તા.૨૧ ના રોજ સમગ્ર ગુજરાતમાં દૂધ વિતરણ નહીં કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જીલ્લામાં પણ માલધારીઓ દ્વારા બે લાખ લીટર દૂધ વેચવામાં નહીં આવે તેવું માલધારી સમાજના આગેવાને જણાવ્યુ છે

ગુજરાત સરકાર દ્વારા ઢોર નિયંત્રણ માટે જે કાયદો અમલમાં મૂકવામાં આવેલ છે તેને પાછો ખેચવામાં આવે, ગૌચરની જમીન ખાલી કરવામાં આવે, માલધારીઓને વાડા હક્કની જમીન આપવામાં આવે, વાડા કાયદેસર કરવામાં આવે, માલધારીઓને ખેડૂતોનો દરજ્જો આપવામાં આવે તે સહિત ૧૧ માંગણીઓ સાથે માલધારી પંચાયત દ્વારા સરકાર સામે આંદોલનનું મંડાણ કરવામાં આવ્યું છે અને તા ૨૧ ના રોજ એકપણ માલધારી સરકારી, સહકારી કે ખાનગી ડેરીમાં દૂધ નહીં વહેંચે અને લોકોને ઘરે ઘરે દૂધ આપવા માટે પણ જશે નહીં તેવું આહ્વાન કરવામાં આવ્યું ચે ત્યારે મોરબી માલધારી સમાજના આગેવાન રમેશભાઈ રબારી અને હળવદ માલધારી આગેવાન ગોપાલભાઈ ભરવાડે જણાવ્યું હતું મોરબી જીલ્લામાં બે લાખ લિટર દૂધ વહેચવામાં આવશે નહી






Latest News