મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના ખેલાડીઓએ સૌ.યુનિ.ની કુસ્તી સ્પર્ધામાં ઝળહળતી સફળતા મેળવતા ભાજપ દ્વારા સન્માનીત કરાયા


SHARE











વાંકાનેરના ખેલાડીઓએ સૌ.યુનિ.ની કુસ્તી સ્પર્ધામાં ઝળહળતી સફળતા મેળવતા ભાજપ દ્વારા સન્માનીત કરાયા

વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહજી ઝાલાની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડાના કાર્યક્રમને લઈને મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ, જિલ્લા અને તાલુકા ભાજપના હોદેદારો અને જિલ્લા પંચાયતના સદસ્યો, વાંકાનેર નગરપાલિકાના પૂર્વ સદસ્યો, તેમજ વાંકાનેર શહેર તેમજ તાલુકા સંગઠન તથા વિવિધ મોર્ચાના હોદ્દેદારો તેમજ સેલના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગ બાદ દોશી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી રમતવીરોનું ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે યોજાયેલ કુસ્તી સ્પર્ધામાં વાંકાનેરના રમતવીરોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન હતું જેથી ટોળીયા શૈલેષ લક્ષ્મણભાઇ (૫૭ કિલો)એ ગોલ્ડ મેડલ મેળવ્યો છે જેથી કરીને તે હવે નેશનલમાં રમવા કોલાપુર (મહારાષ્ટ્ર) ખાતે જશે તે ઉપરાંત ધરોડીયા આશિષ જયેશભાઇ યોગા સ્પર્ધામાં નેશનલ લેવલે પસંદ થયેલ અને તે ભુવનેશ્વર ખાતે રમવા જશે. સાથે તેને કુસ્તી સ્પર્ધા (૬૫ કિલો) માં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે તો ડાભી જયમીન રાજેશભાઇ, સનુરા વિજય મગનભાઈ અને બાંભવા અવધ દિનેશભાઇકુસ્તી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે જે ખેલાડીઓનું મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા, વાંકાનેરના પ્રભારી નિકુંજભાઈ કોટક, હીરાભાઈ બાંભવા સહિતના આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા






Latest News