મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં કોરોના વોરિયર્સને યાદ કરીને વ્યાસપીઠ ઉપરથી કથાના છેલ્લા દિવસે ભાઇશ્રી રમેશભાઈ ઓઝા બન્યા ભાવુક


SHARE







મોરબીમાં કોરોના વોરિયર્સને યાદ કરીને વ્યાસપીઠ ઉપરથી કથાના છેલ્લા દિવસે ભાઇશ્રી રમેશભાઈ ઓઝા બન્યા ભાવુક

મોરબીના સનાળા ગામ પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે કોરોનાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેના છેલ્લા દિવસે કથાનું વર્ણન કરતા સમયે કોરોના કાળ દરમિયાન કામગીરી કરનારા મેડિકલ વિભાગના કર્મચારી, પોલીસ કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓ સહિતનાઓને ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ યાદ કર્યા હતા અને તેને લોકોના જીવ બચાવવા માટે જે કામ કર્યું હતું તેને યાદ કરતા ભાઇશ્રી ભાવુક થઈ ગયા હતા અને આ કથાનું પુણ્ય તેઓને પણ મળશે તેઓ ભાવ તેમણે વ્યક્ત કર્યો હતો

મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને તેઓના પરિવાર દ્વારા મોરબી પંથકમાં કોરોના દરમિયાન અવસાન પામેલા લોકોના મોક્ષર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો અને કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથા મોરબીના સનાળા ગામ પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે બેસાડવામાં આવી હતી અને સાત દિવસ દરમિયાન વિશાળ સંખ્યામાં લોકોએ કથાનો લાભ લીધો હતો રમિયાન ગઇકાલે છેલ્લા દિવસે શ્રોતાઓને કથાનું રસપાન કરાવતા સમયે કથાકાર રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ ઉપર ભાવુક  બની ગયા હતા

ત્યારે ભાઇશ્રી વ્યાસપીઠેથી જણાવ્યું હતું કે કોરોના દરમિયાન જે લોકોને કોરોના થયો હોય તેની પાસે તેના પરિવારજનો જઈ શકતા ન હતા, તેની અંતિમ વિધિમાં તેના પરિવારજનો જઈ શકતા ન હતા, તેની પાછળ ધાર્મિક ક્રિયાક્રમ કરાવી શકતા ન હતા તેવા સમયે મેડિકલ વિભાગના કર્મચારીઓ જેમાં ડોક્ટર અને નર્સ સહિતના કર્મચારીઓ દ્વારા કોરોના જે વ્યક્તિને થયો હોય તેની જે રીતે સેવા કરવામાં આવી હતી તેને યાદ કરી હતી તેની સાથોસાથ પોલીસ વિભાગ અને સફાઈ કર્મચારીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી તેને યાદ કરીને તેઓ ભાવુક બન્યા હતા અને કાંતિભાઈ અમૃતિયા અને તેના પરિવાર દ્વારા જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે તેનું ફળ આ તમામ કર્મચારીઓને પણ મળશે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી






Latest News