મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં કોરોના વોરિયર્સને યાદ કરીને વ્યાસપીઠ ઉપરથી કથાના છેલ્લા દિવસે ભાઇશ્રી રમેશભાઈ ઓઝા બન્યા ભાવુક


SHARE











મોરબીમાં કોરોના વોરિયર્સને યાદ કરીને વ્યાસપીઠ ઉપરથી કથાના છેલ્લા દિવસે ભાઇશ્રી રમેશભાઈ ઓઝા બન્યા ભાવુક

મોરબીના સનાળા ગામ પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે કોરોનાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેના છેલ્લા દિવસે કથાનું વર્ણન કરતા સમયે કોરોના કાળ દરમિયાન કામગીરી કરનારા મેડિકલ વિભાગના કર્મચારી, પોલીસ કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓ સહિતનાઓને ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ યાદ કર્યા હતા અને તેને લોકોના જીવ બચાવવા માટે જે કામ કર્યું હતું તેને યાદ કરતા ભાઇશ્રી ભાવુક થઈ ગયા હતા અને આ કથાનું પુણ્ય તેઓને પણ મળશે તેઓ ભાવ તેમણે વ્યક્ત કર્યો હતો

મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને તેઓના પરિવાર દ્વારા મોરબી પંથકમાં કોરોના દરમિયાન અવસાન પામેલા લોકોના મોક્ષર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો અને કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથા મોરબીના સનાળા ગામ પાસે આવેલ પટેલ સમાજ વાડી ખાતે બેસાડવામાં આવી હતી અને સાત દિવસ દરમિયાન વિશાળ સંખ્યામાં લોકોએ કથાનો લાભ લીધો હતો રમિયાન ગઇકાલે છેલ્લા દિવસે શ્રોતાઓને કથાનું રસપાન કરાવતા સમયે કથાકાર રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ ઉપર ભાવુક  બની ગયા હતા

ત્યારે ભાઇશ્રી વ્યાસપીઠેથી જણાવ્યું હતું કે કોરોના દરમિયાન જે લોકોને કોરોના થયો હોય તેની પાસે તેના પરિવારજનો જઈ શકતા ન હતા, તેની અંતિમ વિધિમાં તેના પરિવારજનો જઈ શકતા ન હતા, તેની પાછળ ધાર્મિક ક્રિયાક્રમ કરાવી શકતા ન હતા તેવા સમયે મેડિકલ વિભાગના કર્મચારીઓ જેમાં ડોક્ટર અને નર્સ સહિતના કર્મચારીઓ દ્વારા કોરોના જે વ્યક્તિને થયો હોય તેની જે રીતે સેવા કરવામાં આવી હતી તેને યાદ કરી હતી તેની સાથોસાથ પોલીસ વિભાગ અને સફાઈ કર્મચારીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી તેને યાદ કરીને તેઓ ભાવુક બન્યા હતા અને કાંતિભાઈ અમૃતિયા અને તેના પરિવાર દ્વારા જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે તેનું ફળ આ તમામ કર્મચારીઓને પણ મળશે તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી






Latest News