મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરથી ગાંધીનગર હક્ક માટે જતા MDM ના સંચાલકોને રોકતી પોલીસમાં ભાજપના કાર્યકરોને રોકવાની છે હિંમત ?


SHARE











વાંકાનેરથી ગાંધીનગર હક્ક માટે જતા MDM ના સંચાલકોને રોકતી પોલીસમાં ભાજપના કાર્યકરોને રોકવાની છે હિંમત ?

ગુજરાતમાં મધ્યાન ભોજન યોજના (એમડીએમ)માં કામ કરતા સંચાલકો અને હેલ્પર સહિતનાઓને નજીવો પગાર છેલ્લા ઘણા વર્ષોથી આપવામાં આવી રહ્યો છે જેથી કરીને પગાર વધારો સહિતની માંગણીઓ કરવામાં આવી રહી છે તેમ છતાં પણ સરકાર દ્વારા તેઓની માંગણીઓને ધ્યાનમાં લેવામાં આવતી નથી જેથી મધ્યાન ભોજનના ગુજરાતભરના સંચાલકો દ્વારા આજે સોમવારે ગાંધીનગર ખાતે ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર ગુજરાતમાંથી લગભગ ૯૬૦૦૦ જેટલા કર્મચારીઓ ગાંધીનગરમાં ઉમટી પડે તેમ હતા ત્યારે મોરબી જીલ્લામાં આવતા વાંકાનેર તાલુકામાંથી ગાંધીનગર આંદોલનમાં જોડાવા માટે જતાં એમડીએમના કર્મચારીઓને ચંદ્રપુર ગામ પાસે રોકોવામાં આવ્યા હતા અને વાંકાનેર તાલુકામાંથી મહિલા સંચાલકો સહિતના કુલ મળીને ૬૦ જેટલા એમડીએમના સંચાલકોએ ખાનગી બસ બાંધીને ગાંધીનગર જતાં હતા તેને રોકીને વાંકાનેર સિટી પોલીસ દ્વારા ડીટેઇન કરવામાં આવ્યા હતા અને કલાકો સુધી પોલીસ મથકે બેસાડી રાખવામા આવ્યા હતા ત્યાર બાદ મહિલા સંચાલકોને રાત્રિના સમયે ઘરે જવા દેવામાં આવ્યા હતા જો કે, પુરૂષોને સવારે આઠ વાગ્યા સુધી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને રાખવામા આવ્યા હતા ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, એમડીએમના સંચાલકોનો શું વાંક કે ગુનો હતો જેથી તેને આખી રાત પોલીસ સ્ટેશન્મા રાખવામા આવેલ છે ? ત્યારે એક સંચાલક સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, ગાંધીનગરમાં ૧૪૪ લાગુ હોવાથી તે લોકો ત્યાં જય શકે નહીં તેવું પોલીસ તરફથી કહેવામા આવ્યું છે તો આવતી કાલે મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આવી રહ્યા છે ત્યારે ૫૦ હજાર લોકોને ભેગા કરવાનું ભાજપ કહી રહી છે અને મોરબી જીલ્લામાં પણ કલમ ૧૪૪ લાગુ જ છે તો શું આ કાર્યક્રમમ જતાં લોકોને પણ રોકવાની મોરબી જિલ્લા પોલીસમાં હીમત છે ? આવો અણીદાર આક્ષેપ પણ કરવામાં આવેલ છે






Latest News