મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત
Breaking news
Morbi Today

મોરબીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને તેમના દીર્ઘાયુને લઈને આવતીકાલે યજ્ઞ, ૭૨ કિલો સુખડીની કેક કપાશે


SHARE







મોરબીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને તેમના દીર્ઘાયુને લઈને આવતીકાલે યજ્ઞ, ૭૨ કિલો સુખડીની કેક કપાશે

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના સમયકાળ દરમિયાન અવસાન પામેલા લોકોના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલું છે અને શનાળા ગામે ભાગવત સપ્તાહ ચાલી રહી છે તે દરમિયાનમાં દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આવતીકાલ તા.૧૭-૯ ના રોજ જન્મદિવસ આવી રહ્યો હોય તેમના જન્મદિવસ નિમિત્તે અને તેમની દીર્ઘાયુને લઈને આયુષ્ય યજ્ઞનું ઉમાટાઉનશીપ ખાતે આયોજન કરવામાં આવેલું છે.

પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે ચાલી રહેલી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞને લઈને સમગ્ર મોરબીનું વાતાવરણ ધર્મમય બન્યું છે.ત્યારે તા.૧૭-૯ ને શનિવારના રોજ લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૨ માં જન્મ દિવસના ઉપલક્ષ્યમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નીધ્યમાં ઉમા ટાઉનશીપ મુકામે આયુષ્ય યજ્ઞ કરવામાં આવશે.તેમજ પૂજ્ય ભાઈશ્રી ૭૨ કિલો સુખડીની કેક કાપશે અને ૭૨ ટન સુખડી વિતરણ કરાશે.તા.૧૭ ના બપોરે ૩:૩૦ કલાકે પ્રારંભ થનાર આ યજ્ઞનું બીડું સાંજે ૬:૩૦ કલાકે પૂજ્ય ભાઈશ્રી દ્વારા હોમાશે અને પૂજ્ય ભાઈશ્રીના જ સાન્નીધ્યમાં ઉમા ટાઉનશીપ મુકામે સાંજે ૭ કલાકે પ્રસાદનું આયોજન કરાયેલ છે.તેમ પુર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જનયણાવેલ છે.






Latest News