મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

માળીયા (મી.) તાલુકાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માળીયા તાલુકા કોંગ્રેસની માંગ


SHARE











માળીયા (મી.) તાલુકાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માળીયા તાલુકા કોંગ્રેસની માંગ

માળીયા (મી.) તાલુકામાં ચાલુ વર્ષે સતત વરસાદના લીધે ખેડૂતોના પાકને નુકસાન થયું છે જેથી કરીને આ તાલુકાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે અને માળીયા (મી.) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખની આગેવાનીમાં મામલતદારને આવેદનપત્ર આપીને રાજ્યના કૃષિમંત્રીને રજૂઆત કરવામાં આવી છે આ તકે માળીયા (મી.) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ વિડજા, મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ પારજીયા, સતિષભાઈ વામજા, માળીયા તાલુકા પંચાયતના વિપક્ષ નેતા અશોકભાઈ કૈલા, બળદેવભાઈ દેત્રોજા, ચંદુભાઈ બાપોદરીયા તથા અલ્પેશભાઈ દેત્રોજા સહિતના હાજર રહ્યા હતા અને રજૂઆત કરેલ છે કે, સતત વરસાદ પડવાના લીધે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો વાવણી કરી શક્યા નથી. અને જેને વાવણી કરેલ છે તે નિષ્ફળ ગયેલ છે જેથી સરકાર તાત્કાલિક સર્વે કરાવીને માળીયા (મી.) તાલુકાને સંપૂર્ણ લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરેલ છે અને જો યોગી નિર્ણય નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ખેડૂતોના સહકારથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News