તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ગંદકી-અવ્યવસ્થા જોઈને ગુજરાત ક્લિન ઈન્ડિયાના પૂર્વ બ્રાન્ડ એમ્બેસેડર ભાઇશ્રી રમેશભાઈ ઓઝા વ્યથિત


SHARE











મોરબીમાં ગંદકી-અવ્યવસ્થા જોઈને ગુજરાત ક્લિન ઈન્ડિયાના પૂર્વ બ્રાન્ડ એમ્બેસેડર ભાઇશ્રી રમેશભાઈ ઓઝા વ્યથિત

મોરબીમાં શનાળા ગામે પટેલ સમાજ વાડીમાં કોરોના દિવંગતોના મોક્ષર્થે ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની કથા ચાલી રહી છે અને ત્રીજા દિવસે કથામાં ગુજરાત રાજ્યના માજી શિક્ષણ મંત્રી સહિતના આગેવાનો સહિત હજારોની સંખ્યામાં શ્રોતાઓ હાજર હતા ત્યારે ભાઇશ્રી રમેશભાઈ ઓઝાએ વ્યાસપીઠે લોકોને ભગવાની લીલા વિષેની વાતો સાથે કથાનું તેની આગવી શૈલીમાં રસપાન કરાવ્યુ હતું ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ભાઇશ્રી મોરબીમાં હોય શહેરમાં ગંદકી અને વ્યવસ્થા જોઈને તેઓ વ્યથિત થયા હતા અને મોરબીને નિટ એન્ડ ક્લિન કરવા માટે પાલિકના મહિલા પ્રમુખ સહિતની ટીમ કામે લાગી જાય તેવું આહ્વાન કર્યું હતું અને આગામી દિવસોમાં તેઓ ફરી પાછા મોરબી આવશે તેવી પણ માર્મિક ટકોર કરી હતી

મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના સમય દરમ્યાન સ્વર્ગસ્થ થયેલા મૃતકો પાછળ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કરવામાં આવેલ છે. અને ભાઈશ્રી રમેશભાઈ ઓઝા શશ્રોતાઓને તેની આગવી શૈલીમાં કથાનું રસપાન કરવી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યના માજી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, શિવલાલભાઈ વેકરીયા, મહેશભાઇ જીવાણી, હનુભા જાડેજા, નૌકાબેન પ્રજાપતિ, વિનોદ પટેલ, ડો. વિજયભાઈ દેસાણી સહિતના આગેવાનો તેમજ હજારોની સંખ્યામાં શ્રોતાઓ હાજર હતા

ભાગવતાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ ભાગવત સપ્તાહમાં ભગવાનની લીલાઓ વિષેની વાત કરી હતી અને કહ્યું હતું કે સારા પુસ્તકો વાંચવા જોઈએ કેમ કે, આજકાલ સોશ્યલ મીડિયામાં જે સૌથી વધુ ઓનલાઈન હોય છે તે વાસ્તવિક જીવનમાં ઓફલાઇન થઈ ગયા છે જેથી કરીને બાળકોને પુસ્તકો વાંચવા તરફનું આકર્ષણ વધે તેવી વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે અને છેલ્લા બે દિવસથી તે મોરબીમાં છે અને અહીના રસ્તાઓ ઉપરથી પસાર થઈ રહ્યા છે ત્યારે તેઓએ મોરબી પાલિકાને પણ આડે હાથે લીધી હતી

રમેશભાઈ ઓઝાએ કહ્યું હતું કે, દેશના વડાપ્રધાન દેશને ક્લિન ઇન્ડિયાનો સંદેશ આપી રહ્યા છે અને ગુજરાતમાં ક્લિન ઇન્ડિયાના તેઓ બ્રાન્ડ એમ્બેસેડર હતા ત્યારે તેઓએ ભૂતકાળમાં સ્વછતા માટે હાથમાં સાવરણા લીધે છે અને તેની સંસ્થાના બાળકોએ પણ પોરબંદરની ચોપાટીને સાફ કરવા માટે તાજેતરમાં જ સાવરણા હાથમાં લીધા હતા ત્યારે મોરબીની ગંદકી અને અવ્યવસ્થા જોઈને તેઓ ખૂબ જ વ્યથિત થયા હતા અને પાલિકાના મહિલા પ્રમુખ પણ કથામાં આવ્યા હોય તેઓને તેની ટિમ સાથે મોરબીને નિટ એન્ડ ક્લિન કરવા માટેની ટકોર કરી હતી અને આગામી દિવસોમાં તે પાછા મોરબીમાં સફાઈ વ્યવસ્થા જોવા માટે આવશે તેવું પણ કહ્યું હતું ગાય માતા અને ગૌવંશને રસ્તા ઉપર રઝડતા છોડી દેનારા પશુ પલકો અને માલધારીઓને ટકોર કરતાં કહ્યું હતું કે ગામના જોખમે અને ખર્ચે તેઓએ દૂધ પીવાનું વાંધ કરવું જોઈએ અને ગાયની સેવા કર્યા વગર તેનું દૂધ પીશે તો તે પચશે નહીં અને પશુડા પાસેથી વધુ દૂધ મેળવવા માટે જે ઈંજેકશન મારે છે તેને તો ક્રુષ્ણ કાનુડો પણ માફ કરશે નહીં તેવી લાગણી વ્યકત કરી હતી

અંતમાં રાજ્યના માજી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, “અમારા કાનાએ કાનાની કથા બેસાડી છે જેનો લાભ સહુ કોઈ લઈ રહ્યા છે” હાલમાં કોરોનાના દિવંગતોની યાદમાં કથા બેસાડવામાં આવી છે ત્યારે કોરોના દરમ્યાન ઘણું વધુ કોરોનાએ શીખવ્યું હતું તેને ભૂલી જવાના બદલે જો વ્યવહારિક જીવનમાં તેને ઉતારવામાં આવે તો તેનો ખુબ જ ફાયદો થાય તેમ છે ત્યાર બાદ પાટીદાર સમાજના આગેવાન જેરામભાઇ વસજાળિયાએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને ખાસ કરીને કાંતિભાઈ અમૃતિયા અને તેના પરિવાર દ્વારા જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે તેને બિરદવેલ છે






Latest News