મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

લીલાપરની ચેલ્સી રાજપરાનો નિબંધ લેખનમાં ડંકો: મોટી બરારની મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઝળહળતો વિજય


SHARE







લીલપરની ચેલ્સી રાજપરાનો નિબંધ લેખનમાં ડંકો: મોટી બરારની મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઝળહળતો વિજય

" આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના ઉપક્રમે તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી આયોજિત નિબંધ સ્પર્ધામાં લીલાપર ગામના રહેવાસી અને રેવન્યુ બાર એસોસિએશન મોરબીના પ્રમુખ સંજયભાઈ રાજપરાની પુત્રી ચેલ્સીએ ભાગ લીધેલ હતો અને "સ્ત્રી સશક્તિકરણ" ના વિષયમાં જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણને સમજતા પહેલા 'સશક્તિકરણ'ની વિભાવનાને સમજવાનો પ્રયાસ કરવો પડશે. અને બીજી એક બાબતએ પણ તારવી શકાય કે કોઈને સશકત કરવાની જરૂર ત્યારે જ પડે જ્યારે તેનામાં સામર્થ્ય, તાકાત, બળ કે ઉદ્યમ ન હોય. કોઈ વ્યક્તિ જાતે કંઈક કરવા શક્તિમાન ન હોય ત્યારે તેને અમુક પ્રકારે મદદ કે સહયોગ પૂરા પાડી સશક્ત કરવાની જરૂર પડે છે. જો આમ હોય તો આના પરથી મહિલા સશક્તિકારણને લઈને મનમાં કેટલાક પ્રશ્નો ઉઠવા સ્વાભાવિક છે, જેમ કે, શું મહિલાઓ શક્તિશાળી નથી.?, શું મહિલાઓ સાચે જ અબળા કે નિર્બળ છે.?, શું મહિલાઓમાં પોતાની આગવી નિર્ણયશક્તિનો અભાવ છે.?, શું મહિલાઓ વહીવટ કરવા સક્ષમ નથી.? તથા જિલ્લા કક્ષાએ "ડ્રગ્સના દૈત્યોમાંથી યુવાનોને બચાવવા હું શું કરી શકું" ના વિષયમાં તેમણે જણાવ્યું હતું કે, આપણે પાંચ લાખની ગાડીમાં પણ ક્યારેય કેરોસીન નથી નાખતા કેમ.? કારણ કે ગાડીનું એન્જિન ખરાબ થઈ જાય. ગાડીની આપણને આટલી ચિંતા છે.? વ્યસનોથી શરીરને કેટલું નુકશાન થાય છે એ કદી વિચાર્યું છે.? માટે હે યુવાન... ન પડ વ્યસનની માયાજાળમાં. જરાક, પાછુ વળીને તો જો કેટલા લોકોની અપેક્ષા તારી સાથે જોડાયેલી છે. આવા વૈધક સવાલો આ નિબંધ સ્પર્ધામાં ઉજાગર કરેલ હતા. આ નિબંધ સ્પર્ધામાં રાજપરા ચેલ્સીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લીલાપર ગામ તેમજ રાજપરા પરિવારનું ગૌરવ વધારેલ છે. તો મોટી બરારની મોડેલ સ્કૂલના તારલાઓએ નિબંધ લેખન સ્પર્ધામાં ૧૦ થી ૨૦ વર્ષની ઉંમરના વિભાગમાં વિદ્યાર્થિની ડાંગર અવની અજયભાઈ પ્રથમ નંબરે  વિજેતા થયેલ છે તો ચિત્રસ્પર્ધામાં ૬ થી ૧૪ વર્ષની ઉંમરના સ્પર્ધકોના વિભાગમાં  ધોળકિયા વિશ્વા વિપુલભાઈ દ્વિતીય નંબરે વિજેતા થયેલ છે અને શાળાના આચાર્ય ભરતભાઈ વીડજા તથા તમામ સ્ટાફ દ્વારા વિજેતા થયેલ  વિદ્યાર્થીઓને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી






Latest News