હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદના દિઘડીયામાં પરણીતાના ચરિત્ર ઉપર શંકા કરીને પતિ, સસરા, દિયર અને નણંદે માર માર્યો


SHARE











હળવદના દિઘડીયામાં પરણીતાના ચરિત્ર ઉપર શંકા કરીને પતિ, સસરા, દિયર અને નણંદે માર માર્યો

હળવદ તાલુકાના દિઘડીયા ગામે રહેતી પરણીતાના ચરિત્ર ઉપર પતિ, સસરા, દિયર તેમજ નણંદ દ્વારા શંકા કરીને સંતાન ન થતા હોય તે બાબતે બોલાચાલી કરવામાં આવતી હતી અને શારીરિક માનસિક ત્રાસ આપી ઢીકાપાટુ અને દોરડા વડે માર મારીને ગાળો આપતા હતા અને જાનથી મારી રાખવાની ધમકી આપતા હતા જેથી મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં પરિણીતાએ પતિ સહિત ચાર સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના દિઘડીયા ગામે રહેતા ગંગાબેન મેહુલભાઈ મુંધવા જાતે ભરવાડ (૨૧) એ તેના પતિ મેહુલભાઈ રણછોડભાઈ મુંધવા, સસરા રણછોડભાઈ રામાભાઇ મુંધવા, દિયર દિનેશભાઈ રણછોડભાઈ મુંધવા અને નણંદ રંજનબેન રણછોડભાઈ મુંધવા સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવી છે કે તેના પતિ, સસરા, દિયર અને નણંદ દ્વારા તેના ચરિત્ર ઉપર શંકા કરીને ખોટા કામ કરાવવા માટે દબાણ કરવામાં આવતું હતું અને સંતાન નહીં હોવાથી તે બાબતે બોલાચાલી કરવામાં આવતી હતી અને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા તેમજ ઢીકાપાટુ અને દોરડા વડે માર મારતા હતા અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે પતિ સહિતના સાસરીયાઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આગથી દાજી જતા છ લોકો સારવારમાં

મોરબીના રવાપર નદી ગામ પાસે કારખાનામાં આગ લાગી હતી જેના લીધે છ લોકો દાઝી ગયા હતા માટે તેને સારવારમાં ખસેડાયા છે અને આગને કાબુમાં લેવા માટે ફાયરની ટીમ પાણીનો મારો ચલાવી રહી છે.મોરબી માળિયા રોડ ઉપર આવેલ રવાપર નદી ગામ પાસે હોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં કોઈ કારણોસર આગ લાગેલ હતી. જેમા 6 લોકો દાઝી ગયેલ છે માટે તેને ૧૦૮ મારફતે સારવારમાં ખસેડાયેલ છે અને આ ઘટનામાં પવનભાઈ, નાગીનભાઈ, દેવાભાઈ, હસનભાઈ, દેવરાજભાઈ અને સીબુસિંગભાઇ દાઝ્યા હોવાનું સામે આવેલ છે અને આગ પાછળ ગેસ લીકેજનું પ્રાથમિક રીતે સામે આવેલ છે. અને આગને કાબુમાં લેવા માટે મોરબી પાલિકાના ફાયર ફાઈટર દ્વારા હાલમાં પાણીનો માળો ચલાવવામાં આવી રહ્યો છે






Latest News