તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

હળવદના દિઘડીયામાં પરણીતાના ચરિત્ર ઉપર શંકા કરીને પતિ, સસરા, દિયર અને નણંદે માર માર્યો


SHARE











હળવદના દિઘડીયામાં પરણીતાના ચરિત્ર ઉપર શંકા કરીને પતિ, સસરા, દિયર અને નણંદે માર માર્યો

હળવદ તાલુકાના દિઘડીયા ગામે રહેતી પરણીતાના ચરિત્ર ઉપર પતિ, સસરા, દિયર તેમજ નણંદ દ્વારા શંકા કરીને સંતાન ન થતા હોય તે બાબતે બોલાચાલી કરવામાં આવતી હતી અને શારીરિક માનસિક ત્રાસ આપી ઢીકાપાટુ અને દોરડા વડે માર મારીને ગાળો આપતા હતા અને જાનથી મારી રાખવાની ધમકી આપતા હતા જેથી મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં પરિણીતાએ પતિ સહિત ચાર સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના દિઘડીયા ગામે રહેતા ગંગાબેન મેહુલભાઈ મુંધવા જાતે ભરવાડ (૨૧) એ તેના પતિ મેહુલભાઈ રણછોડભાઈ મુંધવા, સસરા રણછોડભાઈ રામાભાઇ મુંધવા, દિયર દિનેશભાઈ રણછોડભાઈ મુંધવા અને નણંદ રંજનબેન રણછોડભાઈ મુંધવા સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવી છે કે તેના પતિ, સસરા, દિયર અને નણંદ દ્વારા તેના ચરિત્ર ઉપર શંકા કરીને ખોટા કામ કરાવવા માટે દબાણ કરવામાં આવતું હતું અને સંતાન નહીં હોવાથી તે બાબતે બોલાચાલી કરવામાં આવતી હતી અને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા તેમજ ઢીકાપાટુ અને દોરડા વડે માર મારતા હતા અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે પતિ સહિતના સાસરીયાઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આગથી દાજી જતા છ લોકો સારવારમાં

મોરબીના રવાપર નદી ગામ પાસે કારખાનામાં આગ લાગી હતી જેના લીધે છ લોકો દાઝી ગયા હતા માટે તેને સારવારમાં ખસેડાયા છે અને આગને કાબુમાં લેવા માટે ફાયરની ટીમ પાણીનો મારો ચલાવી રહી છે.મોરબી માળિયા રોડ ઉપર આવેલ રવાપર નદી ગામ પાસે હોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં કોઈ કારણોસર આગ લાગેલ હતી. જેમા 6 લોકો દાઝી ગયેલ છે માટે તેને ૧૦૮ મારફતે સારવારમાં ખસેડાયેલ છે અને આ ઘટનામાં પવનભાઈ, નાગીનભાઈ, દેવાભાઈ, હસનભાઈ, દેવરાજભાઈ અને સીબુસિંગભાઇ દાઝ્યા હોવાનું સામે આવેલ છે અને આગ પાછળ ગેસ લીકેજનું પ્રાથમિક રીતે સામે આવેલ છે. અને આગને કાબુમાં લેવા માટે મોરબી પાલિકાના ફાયર ફાઈટર દ્વારા હાલમાં પાણીનો માળો ચલાવવામાં આવી રહ્યો છે






Latest News