મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખે કાલે અડધો દિવસ બંધમાં જોડાવા લોકોને કરી અપીલ


SHARE











મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખે કાલે અડધો દિવસ બંધમાં જોડાવા લોકોને કરી અપીલ

વર્તમાન સમયમાં મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે કોંગ્રેસ દ્વારા તા ૧૦ ના રોજ મોંઘવારીના મુદે અડધો દિવસ બંધનું એલાન કર્યું છે જેથી કરીને મોરબી શહેર અને જિલ્લાના લોકો દ્વારા અડધો દિવસ ગુજરાત બંધમાં સહકાર આપવામાં આવે અને લોકો સ્વયંભૂ રીતે બંધમાં જોડાય તેના માટે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જંયતીલાલ પટેલે જણાવ્યુ છે કે, સરકારની પ્રજા વિરોધી નીતિઓને કારણે ભારત અને ગુજરાતમાં ગરીબો, મજુરો, વેપારીઓ, નાના દુકાનદારો, નાના ઉધ્યોગકારો, કિશાનો, મધ્યમવર્ગનાં લોકો હેરાન છે. અને પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ હાલમાં આસમાને પહોચ્યા છે ત્યારે મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અડધો દિવસ બંધનું એલાન આપવામાં આવ્યું છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, મોંઘવારી ચરમ સીમાએ છે. ત્યારે લોકોને રાહત આપવાની જગ્યાએ અનાજ, ઘઉંનો લોટ, દૂધ, દહીં, માખણ, પનીર, ગોળ, મધ જેવી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ઉપર જી.એસ.ટી લગાવીને લોકોને વધુ હેરાન કરવામાં આવી રહ્યા છે જેથી કરીને પ્રજા વિરોધી નીતિ સામે આક્રોશ વ્યક્ત કરવા કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધ (આંશિક બંધ)નું એલાન કરવામાં આવ્યું છે જેમાં મોરબીના વેપારીઓ  સહિતના લોકો જોડાય તેના માટે અપીલ કરાઈ છે






Latest News