હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર શહેરમાં યમરાજના ધામા: અલગ અલગ ત્રણ અપમૃત્યુના બનાવ નોંધાયા


SHARE











વાંકાનેર શહેરમાં યમરાજના ધામા: અલગ અલગ ત્રણ અપમૃત્યુના બનાવ નોંધાયા

(શાહરૂખ ચૌહાણ) વાંકાનેર શહેરના જુદાજુદા ત્રણ વિસ્તારમાં બે યુવાન સહિત કુલ ત્રણ વ્યક્તિઓએ આપઘાત કરેલ છે જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ડેડબોડીઓને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે અને અપમૃત્યુના બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવન નોંધા કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

વાંકાનેર નવાપરા વિસ્તારમાં આવેલા ખડીપાડામાં રહેતા ભાવનાબેન હર્ષભાઈ ધોળકિયા (ઉંમર 36) કોઈ કારણોસર ઘરે ગળે ફાંસો ખાય આપઘાત કર્યો હતો તો વાંકાનેરના ગાયત્રી ચોક નજીક ટાંકી વાળી શેરીમાં રહેતા સંદીપભાઈ જગદીશભાઈ ગોરીયા (ઉંમર 26) કોઈ કારણસર ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું અને વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા ઓમસિહ ઈશ્વરસિંહ રાજપુત (ઉંમર 20) એ કોઈ કારણસર ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આમ જુદાજુદા ત્રણ વિસ્તારમાંથી ત્રણેય ડેડબોડીને પીએમ માટે વાંકાનેર સિવિલે ખસેડવામાં આવી હતી અને તમામ કેસની વાંકાનેર શહેર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ ચલાવી રહી છે






Latest News