મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે રિક્ષા ઊભી રાખવાની માથાકૂટમાં યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE







વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે રિક્ષા ઊભી રાખવાની માથાકૂટમાં યુવાન ઉપર છરી વડે હુમલો

વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઈવે રોડની બાજુમાં સર્વિસ રોડ ઉપર રીક્ષા ઉભી રાખવા બાબતે બોલાચાલી થઈ હતી ત્યારબાદ યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના લક્ષ્મીપરા શેરી નં-૨ માં રહેતા ઇનાયતભાઈ અયુબભાઈ પીપરવાડિયા જાતે પીંજારા (ઉંમર ૨૫) વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઈવે રોડની બાજુમાં સર્વિસ રોડ ઉપર રેલવેના નાલા નીચે હતા ત્યારે રીક્ષા ઉભી રાખવા બાબતે ઝાકીરભાઇ મહમદભાઈ રાઠોડ અને નૂરમહંમદભાઈ મકવાણા રહે બંને લક્ષ્મીપરા વાળા સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઇનાયતભાઈ ત્યાંથી નીકળી ગયા હતા ત્યારે બંને આરોપીઓએ રિક્ષા વડે તેનો પીછો કર્યો હતો અને ઝાકીરભાઇ રાઠોડએ તેની પાસે રહેલ છરી વડે ઇનાયતભાઈને ઇજા કરી હતી અને નૂરમહંમદભાઈ મકવાણાએ ધોકા વડે માર મારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પીપરવાડિયાને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેઓએ બે શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

વાંકાનેર તાલુકાના ગારીયા ગામના પુલ પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા જયસુખભાઈ ધરમશીભાઈ રોજાસરા જાતે કોળી (૨૮) રહે. ગારીયા અને શૈલેષભાઈ મલાભાઇ રાતડીયા જાતે ભરવાડ (૪૮) રહે. સિપાઈ શેરી વાંકાનેર વાળા આંકડા લેતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૪૮૦૦ રૂપિયાની રોકડ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News