મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે રિક્ષા ઊભી રાખવાની માથાકૂટમાં યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE











વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે રિક્ષા ઊભી રાખવાની માથાકૂટમાં યુવાન ઉપર છરી વડે હુમલો

વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઈવે રોડની બાજુમાં સર્વિસ રોડ ઉપર રીક્ષા ઉભી રાખવા બાબતે બોલાચાલી થઈ હતી ત્યારબાદ યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના લક્ષ્મીપરા શેરી નં-૨ માં રહેતા ઇનાયતભાઈ અયુબભાઈ પીપરવાડિયા જાતે પીંજારા (ઉંમર ૨૫) વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઈવે રોડની બાજુમાં સર્વિસ રોડ ઉપર રેલવેના નાલા નીચે હતા ત્યારે રીક્ષા ઉભી રાખવા બાબતે ઝાકીરભાઇ મહમદભાઈ રાઠોડ અને નૂરમહંમદભાઈ મકવાણા રહે બંને લક્ષ્મીપરા વાળા સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઇનાયતભાઈ ત્યાંથી નીકળી ગયા હતા ત્યારે બંને આરોપીઓએ રિક્ષા વડે તેનો પીછો કર્યો હતો અને ઝાકીરભાઇ રાઠોડએ તેની પાસે રહેલ છરી વડે ઇનાયતભાઈને ઇજા કરી હતી અને નૂરમહંમદભાઈ મકવાણાએ ધોકા વડે માર મારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પીપરવાડિયાને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેઓએ બે શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

વાંકાનેર તાલુકાના ગારીયા ગામના પુલ પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે વરલી જુગારના આંકડા લેતા જયસુખભાઈ ધરમશીભાઈ રોજાસરા જાતે કોળી (૨૮) રહે. ગારીયા અને શૈલેષભાઈ મલાભાઇ રાતડીયા જાતે ભરવાડ (૪૮) રહે. સિપાઈ શેરી વાંકાનેર વાળા આંકડા લેતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૪૮૦૦ રૂપિયાની રોકડ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News