મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં પરિણીતા સાથે દુષ્કર્મ આચરીને મારી નાંખવાની ધમકી આપનારા શખ્સની ધરપકડ


SHARE











મોરબી તાલુકામાં પરિણીતા સાથે દુષ્કર્મ આચરીને મારી નાંખવાની ધમકી આપનારા શખ્સની ધરપકડ

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી કરીને પરિણીતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં પરિણીતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી કરીને પરિણીતાએ જયેશ જગાભાઇ કગથરા રહે.વિરાટનગર (રંગપર) વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી હતી જેમાં તેણીએ જણાવ્યુ હતું કે, આરોપી તેણીને બળજબરીથી ઓરડીમાં લઈ ગયો હતો અને તેણીને મારી નાંખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું અને જો કોઈને કાંઇ કહીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી પણ આપી હતી અને આ બાબતે પરિણીતાનો પતિ આરોપીને સમજાવવા માટે ગયો હતો ત્યારે તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પરિણીતાએ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પીએસઆઇ વી.બી.પીઠીયાએ હાલમાં આ ગુનામાં આરોપી જયદીપ ઉર્ફે જયેશ જગદીશભાઇ કગથરા જાતે કોળી (ઉમર ૨૦) રહે. રંગપર તા.જી.મોરબીની ધરપકડ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા રોડ ઉપર રહેતા વિરજીભાઈ માધાભાઈ કણજારિયા નામના પચાસ વર્ષીય આધેડ બાઈક લઈને ઘરેથી વાડી તરફ જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા વિરજીભાઈ કણજારિયાને સારવારમાં ખસેડાયા હતા. તેમજ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા ઇમરાન અલ્યાસ કટીયા નામના ૧૬ વર્ષીય સગીરને ઘરે મારામારીના બનાવમાં ઈજાઓ થતા તેને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.તેમજ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં દિવ્યરાજ કિરણભાઈ સનારીયા નામના ૨૦ વર્ષના યુવાનને ઇજા થતાં તેને પણ સારવારમાં ખસેડાયો હતો.
 
યુવાન સારવારમાં
 
મોરબીના વાવડી રોડ ઉપર રહેતો હૈદર ગુલામનબી માલાણી નામનો ૩૯ વર્ષનો યુવાન મોરબી નગરપાલિકા કચેરી પાસેથી બાઈક લઈને જતો હતો દરમિયાનમાં તે નીચે પડી જતા ઇજાઓ થવાથી તેને સારવારમાં ખસેડાયો હતો.જ્યારે રાજકોટ નજીકના વિછીયા તાલુકાના અજમેર ગામે રહેતા પૂજાબેન જીવાભાઇ રાઠોડ નામના ૭૨ વર્ષીય વૃદ્ધા બાઇકમાં બેસીને મોરબી આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઈકમાંથી નીચે પડી જતા સારવાર માટે ખસેડાયા હતા.





Latest News