તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતની પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેવા રાજયમંત્રીને રજુઆત


SHARE











મોરબી સહિત ગુજરાતની પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેવા રાજયમંત્રીને રજુઆત

મોરબી સહિત ગુજરાત રાજ્યમાં આવેલ નગરપાલિકા કર્મચારી વતી મહામંડળ દ્વારા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાને રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેઓના પડતર પ્રશ્નોનો ઉકેવા માટેની પાલિકાના કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે

મોરબી નગરપાલિકા કર્મચારી મહામંડળના હોદેદારો દ્વારા રાજ્ય કર્મચારી મહામંડળની સૂચના મુજબ મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, રાજ્યની નગરપાલિકાના કર્મચારીઓના અનેક પડતર પ્રશ્નો છે તેના માટે ભૂતકાળમાં રજૂઆતો કરવામાં આવી છે જો કે, હજુ સુધી પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી જેથી કરીને કર્મચારીઓના પડતર પ્રશ્ન બાબતે સરકાર દ્વારા રચાયેલી મંત્રીઓની કમિટીમાં પાલિકા કર્મચારીઓના પ્રશ્નો રજૂ કરવા માટે મંત્રીને રજૂઆત કરી છે. જેમાં ખાસ કરીને મહેકમ ખર્ચની મર્યાદા નાબૂદ કરવામાં આવે, મહેકમ ખર્ચની ગણતરી બાબતે નામદાર સર્વોચ્ચ અદાલતના તથા નામદાર હાઇકોર્ટના ચુકાદાને અમલી બનાવવામાં આવે, મહેકમની ખાલી જગ્યાઓ ઉપર લાંબા સમયથી ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવામાં આવે, ચોથું પગાર પંચ તથા પાંચમું પગાર પંચ મેળવતી નગરપાલિકાઓમાં મોંઘવારી ભથ્થાના દરમાં વધારો કરવામાં આવે, ફરજિયાત સેવાના કર્મચારીઓનો પગાર ખર્ચ મહેકમખર્ચ મર્યાદામાંથી બાકાત રાખવામાં આવે, પગાર પંચની દરખાસ્તોમાં સરળીકરણ કરવા તથા રાજ્ય સરકાર અમલી બનાવેલ હોય તે વર્ષથી જ પગાર પંચ મજૂર થાય તે મુજબ પરિપત્ર કરવામાં આવે, ઓક્ટ્રોય ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવે, પાલિકાના કર્મચારીઓને બઢતી તથા ઉચ્ચતર પગાર ધોરણના લાભો આપવામાં આવે તથા હાલમાં અમલી નિયમોમાં સરળીકરણ કરવામાં આવે તે સહિતની રજૂઆત કરવામાં આવી છે






Latest News