મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવ યોજાશે


SHARE











મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવ યોજાશે

મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જો કે, કોરોનાને લીધે તે બંધ હતું પરંતુ આ વર્ષે મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ઇન્ડિયન આઈડલના વિજેતા ભૂમિ ત્રિવેદી, વ્રજ ક્ષત્રિય (સારેગામાપા) અને જાણીતા ગાયક કલાકાર ઉર્વશી રાદડિયા રાસની રમઝટ બોલાવશે

મોરબીમાં કોરોનાના બે વર્ષ બાદ તા. ૨૬ સપ્ટેમ્બરના રોજ નવરાત્રી મહોત્સવ શરૂ થવાનો છે ત્યારે મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી સેવા કાર્યોમાં અગ્રેસર અજય લોરીયા દ્વારા ગાયો અને અન્ય સેવા કાર્યો માટે યોજાતો પાટીદાર નવરાત્રી મહોત્સવ આ વખતે દેશની રક્ષા કરતા શહીદ થયેલા વીર જવાનોના પરિવારના લાભાર્થે યોજાશે. આ ઉપરાંત આ વખતે ગુજરાત જ નહીં પણ ભારતના ખ્યાતનામ કલાકારો ત્યાં રમઝટ બોલાવશે જેમાં બોલીવુડ સિંગર ભૂમિ ત્રિવેદી, વ્રજ ક્ષત્રિય(સારેગમપ) અને જાણીતા ગાયક કલાકાર ઉર્વશી રાદડિયા ઉપરાંત અને નામિ કલાકારો રાસની રમઝટ બોલાવશે






Latest News