વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવ યોજાશે


SHARE











મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવ યોજાશે

મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જો કે, કોરોનાને લીધે તે બંધ હતું પરંતુ આ વર્ષે મોરબીમાં શહીદ પરિવારોના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ઇન્ડિયન આઈડલના વિજેતા ભૂમિ ત્રિવેદી, વ્રજ ક્ષત્રિય (સારેગામાપા) અને જાણીતા ગાયક કલાકાર ઉર્વશી રાદડિયા રાસની રમઝટ બોલાવશે

મોરબીમાં કોરોનાના બે વર્ષ બાદ તા. ૨૬ સપ્ટેમ્બરના રોજ નવરાત્રી મહોત્સવ શરૂ થવાનો છે ત્યારે મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી સેવા કાર્યોમાં અગ્રેસર અજય લોરીયા દ્વારા ગાયો અને અન્ય સેવા કાર્યો માટે યોજાતો પાટીદાર નવરાત્રી મહોત્સવ આ વખતે દેશની રક્ષા કરતા શહીદ થયેલા વીર જવાનોના પરિવારના લાભાર્થે યોજાશે. આ ઉપરાંત આ વખતે ગુજરાત જ નહીં પણ ભારતના ખ્યાતનામ કલાકારો ત્યાં રમઝટ બોલાવશે જેમાં બોલીવુડ સિંગર ભૂમિ ત્રિવેદી, વ્રજ ક્ષત્રિય(સારેગમપ) અને જાણીતા ગાયક કલાકાર ઉર્વશી રાદડિયા ઉપરાંત અને નામિ કલાકારો રાસની રમઝટ બોલાવશે






Latest News