મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના વિવાદાસ્પદ મેદાનમાં વાજતે ગાજતે ગણેશોત્સવ સમિતિએ કર્યું ગણેશજીનું સ્થાપન: જીતુભાઇ સોમાણીનું આંદોલન યથાવત


SHARE











વાંકાનેરના વિવાદાસ્પદ મેદાનમાં વાજતે ગાજતે ગણેશોત્સવ સમિતિએ કર્યું ગણેશજીનું સ્થાપન: જીતુભાઇ સોમાણીનું આંદોલન યથાવત

મોરબીમાં જિલ્લાના વાંકાનેરમાં જીતુભાઈ સોમાણી દ્વારા ગણેશોત્સવના મેદાન માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે તો પણ તેઓની ગણેશોત્સવ સમિતિને ગણેશોત્સવ માટે તંત્ર દ્વારા આખુ મેદાન આપવામાં આવ્યુ નથી જેથી કરીને વાંકાનેરના વિવાદાસ્પદ મેદાનમાં વાજતે ગાજતે ગણેશોત્સવ સમિતિએ ગશેશજીનું સ્થાપન કરેલ છે તો પણ જીતુભાઇ સોમાણીનું આંદોલન હજુ યથાવત જ છે

વાંકાનેરમાં છેલ્લા ૧૨ વર્ષથી ગણેશોત્સવ ઉત્સવ સમિતિ દ્વારા જે જગ્યા ઉપર ગણેશોત્સવનું આયોજન કરવામાં આવતું હતું તે મેદાન ગણેશ ઉત્સવ સમિતિને આપવાના બદલે અન્ય પાર્ટીને અડધુ મેદાન ગઇકાલે વહીવટદાર દ્વારા આપવામાં આવ્યુ છે જેથી કરીને છેલ્લા ઘણા દિવસોથી જીતુભાઈ સોમાણી દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે તેને હજુ પણ યથાવત જ રાખવામાં આવેલ છે અને આજે વાજતે ગાજતે વાંકાનેરમાં વિવાદાસ્પદ બની ગયેલા આરએસએસના મેદાનમાં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે અને પૂજન અર્ચન શરૂ કરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે આ મેદાન માટે જેને માંગણી કરી હતી અને ગઇકાલે તાબડતોબ અડધા મેદાનની સરકારી ફી પણ સરકારી તિજોરીમાં જમા કરાવી હતી તે પાર્ટી દ્વારા બપોર સુધી આ મેદાન ઉપર ગણેશ ઉત્સવ માટેનું કોઈ આયોજન કરવામાં આવ્યું નથી તેવું વાંકાનેરના લોકો પાસેથી જાણવા મળેલ છે તો કયા હેતુથી આ ગ્રાઉન્ડની બીજી પાર્ટીએ માંગણી ગણેશ ઉત્સવ દરમિયાન કરી હતી ? અને શા માટે થઈને વાંકાનેરમાં વિવાદ થાય તેવું કરવામાં આવ્યું હતુ ? તે તપાસનો વિષય છે






Latest News