મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીથી 345 કિલોમીટરની અંબાજી સુધીની પદયાત્રાનો સંઘ રવાના


SHARE







મોરબીથી 345 કિલોમીટરની અંબાજી સુધીની પદયાત્રાનો સંઘ રવાના

મોરબીથી અંબાજી સુધીની પદયાત્રાનો સંઘ મોરબીથી રવાના થઇ ગયો છે અને 345 કિલોમીટરની પદયાત્રા કરીને શ્રી અંબિકા પદયાત્રા સંઘના સભ્યો અંબાના દરબારમાં પહોંચશે

દરવર્ષે મોરબીથી અંબાજી સુધીની પદયાત્રાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે તેવી જ રીતે આ વેશે પણ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ભાદરવી પુનમની આસપાસમાં આ સંઘ અંબાજી મંદિરે પહોચે તેનું આયોજન કરાયું છે અત્રે ઉલેખનીય છે કે, 1999 થી શ્રી અંબિકા પદયાત્રા સંઘ મોરબીથી અંબાજી આશરે 345 કિલોમીટરની પદયાત્રા યોજી અંબાજી પહોચે છે આ વર્ષે પદયાત્રામાં ઘણા શ્રદ્ધાળુઓ જોડાઇ છે ગઇકાલે મંગળવારને તા. 30 ના રોજ બપોરના 12:15 વાગ્યે પદયાત્રા સંઘ અંબાજી જવા માટે આલાપ રોડ ઉપર આવેલ સ્કાય ટાવર પાસેથી રવાના થયો હતો ત્યારે મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને અંબિકા પદયાત્રા સંઘના સંઘપતિ સુરેશભાઈ મોહનભાઈ નાગપરા અને કૈલાશભાઈ નાગપરા સહિતના મોરબીના લોકો બાવના ગજની ધજા સાથે મોરબીથી અંબાજી પહોંચશે






Latest News