મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારામાં દેણું વધી જતાં જિનિંગ મિલના માલિકે પોતાના જ કારખાનામાં કર્યો આપઘાત


SHARE











ટંકારામાં દેણું વધી જતાં જિનિંગ મિલના માલિકે પોતાના જ કારખાનામાં કર્યો આપઘાત

ટંકારા તાલુકાના દેવડીયા ગામ પાસે આવેલ જિનિંગ મિલના માલિક ઉપર દેણું વધી ગયું હતું જેથી કરીને તેના ટેન્શનમાં આવી જતા પોતાના જ કારખાનાની ઓફિસમાં ગળાફાંસો ખાઈને યુવા ઉદ્યોગપતિએ આપઘાત કરી લીધો હતો જેથી તેના પરિવારજનો દ્વારા આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકામાં આવેલ દેવડીયા ગામે રહેતા મયુરભાઈ હીરાભાઈ ભાલોડીયા જાતે પટેલ (ઉંમર ૩૨) એ દેવડીયા ગામ પાસે આવેલ પોતાના શ્રી કેટેક્ષ જીનીંગ ફેક્ટરી નામના કારખાનાની ઓફિસમાં ગઈકાલે ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના પરિવારજનો દ્વારા તેના મૃતદેહને ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વસંતભાઈ વઘેરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મૃતક મયુરભાઈ હરિભાઈ ભાલોડીયા શ્રી કેટેક્ષ જિનિંગ મિલના કરતા હર્તા હતા અને તેઓના પરિવારજનો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે બે કરોડ રૂપિયાનું દેણું ચડી ગયું હતું તેમજ પાંચ કરોડ રૂપિયાની બેંકની લોન લીધેલ હોય બેંકમાંથી ગઈકાલે ઓડિટ માટે થઈને ફોન આવ્યો હતો જેથી ટેન્શનમાં આવી જતા મયુરભાઈ હરિભાઈ ભાલોડીયાએ પોતાના કારખાનાની ઓફિસમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા ત્રણ મહિનાથી જીનિંગ મિલ બંધ હતી અને મૃતક મયુરભાઈ ભાલોડીયાનો લગ્ન ગાળો ચાર વર્ષનો છે અને તેને સંતાનમાં ૧૦ માસનો એક દીકરો છે હાલમાં ટંકારા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ હોલીસ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરની ઓરડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી રાજુભાઈ આહિરવાર (૪૫)નું કોઈ બીમારી સબબ તેના કવાર્ટરની અંદર જ મૃત્યુ નીપજ્યું હતું જેથી કરીને મૃતક રાજુભાઈ આહિરવારના ભાઈ ગબ્બરભાઈ ફૂલ્લેભાઈ આહીરવાર (૪૨) રહે. મધ્યપ્રદેશ વાળાએ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News