મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગણેશોત્સવ સમિતિને RSS નું મેદાન આપવા કોંગી ધારાસભ્ય પીરજાદાએ કલેક્ટરને કરી રજૂઆત


SHARE











વાંકાનેરમાં ગણેશોત્સવ સમિતિને RSS નું મેદાન આપવા કોંગી ધારાસભ્ય પીરજાદાએ કલેક્ટરને કરી રજૂઆત

વાંકાનેર શહેરમાં આર.એસ.એસ. શાખાનું ગ્રાઉન્ડ ગણેશોત્સવ સમિતિને મેદાન આપવામાં આવે તેના માટે વાંકાનેરના ધારાસભ્ય મહમદ જાવિદ પીરજાદા દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ છે

વાંકાનેર શહેરમાં આર.એસ.એસ. શાખાનું ગ્રાઉન્ડ આવેલ છે ત્યાં છેલ્લા ૧૨ વર્ષથી માર્કેટચોક ગણપતિ ઉત્સવનું અને નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે તે સુંદર અને સુલેહભર્યા ઉત્સવો ઉજવાય છે. જેના ભાગરૂપે ગણેશોત્સવ સમિતી ધ્વારા ચાલુ વર્ષે પણ આ ગ્રાઉન્ડની માંગણી કરવામાં આવેલ હતી જો કે, પાલિકાની સામાન્ય સભાએ ગ્રાઉન્ડ ટોકન ભાડેથી માંગણીદારને આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે આ ઠરાવમાં સંમતિ ન હોવાની નોંધ મુખ્ય અધિકારીએ કરેલ નથી તેમજ તેમના ધ્વારા પ્રમાણિત નકલ પણ આપવામાં આવેલ નથી

ત્યારબાદ અન્ય આસામી દ્વારા સદરહુ ગ્રાઉન્ડની માંગણી થતા ધાર્મિક મુદ્દે વિચારભેદ ઉભો થયેલ છે ત્યારે ટોકન ભાડાથી ગ્રાઉન્ડ આપવાનો નિર્ણય કરેલ હોવાથી વહીવટી તંત્રએ ધાર્મિક ઈસ્યુ દ્વારા શહેરની શાંતી ન જોખમાય તે માટે નગરપાલિકાના સામાન્ય સભાએ કરેલ નિર્ણયમાં દખલ ન કરવી જોઈએ શહેરમાં સામાજિક વાતાવરણ ડહોળાય અને શહેરની શાંતિ જોખમાય તેમ હોઈ પાલિકાએ થયેલ ઠરાવને વળગી રહેવાનો નિર્ણય માટે સ્થાનિક વહીવટી તંત્રને તાત્કાલીક સુચના આપવા વાંકાનેરના ધારાસભ્ય મહમદ જાવિદ પીરજાદા દ્વારા કલેક્ટરને રજૂઆત કરેલ છે 






Latest News