હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગણેશોત્સવ સમિતિને RSS નું મેદાન આપવા કોંગી ધારાસભ્ય પીરજાદાએ કલેક્ટરને કરી રજૂઆત


SHARE











વાંકાનેરમાં ગણેશોત્સવ સમિતિને RSS નું મેદાન આપવા કોંગી ધારાસભ્ય પીરજાદાએ કલેક્ટરને કરી રજૂઆત

વાંકાનેર શહેરમાં આર.એસ.એસ. શાખાનું ગ્રાઉન્ડ ગણેશોત્સવ સમિતિને મેદાન આપવામાં આવે તેના માટે વાંકાનેરના ધારાસભ્ય મહમદ જાવિદ પીરજાદા દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ છે

વાંકાનેર શહેરમાં આર.એસ.એસ. શાખાનું ગ્રાઉન્ડ આવેલ છે ત્યાં છેલ્લા ૧૨ વર્ષથી માર્કેટચોક ગણપતિ ઉત્સવનું અને નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે તે સુંદર અને સુલેહભર્યા ઉત્સવો ઉજવાય છે. જેના ભાગરૂપે ગણેશોત્સવ સમિતી ધ્વારા ચાલુ વર્ષે પણ આ ગ્રાઉન્ડની માંગણી કરવામાં આવેલ હતી જો કે, પાલિકાની સામાન્ય સભાએ ગ્રાઉન્ડ ટોકન ભાડેથી માંગણીદારને આપવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે આ ઠરાવમાં સંમતિ ન હોવાની નોંધ મુખ્ય અધિકારીએ કરેલ નથી તેમજ તેમના ધ્વારા પ્રમાણિત નકલ પણ આપવામાં આવેલ નથી

ત્યારબાદ અન્ય આસામી દ્વારા સદરહુ ગ્રાઉન્ડની માંગણી થતા ધાર્મિક મુદ્દે વિચારભેદ ઉભો થયેલ છે ત્યારે ટોકન ભાડાથી ગ્રાઉન્ડ આપવાનો નિર્ણય કરેલ હોવાથી વહીવટી તંત્રએ ધાર્મિક ઈસ્યુ દ્વારા શહેરની શાંતી ન જોખમાય તે માટે નગરપાલિકાના સામાન્ય સભાએ કરેલ નિર્ણયમાં દખલ ન કરવી જોઈએ શહેરમાં સામાજિક વાતાવરણ ડહોળાય અને શહેરની શાંતિ જોખમાય તેમ હોઈ પાલિકાએ થયેલ ઠરાવને વળગી રહેવાનો નિર્ણય માટે સ્થાનિક વહીવટી તંત્રને તાત્કાલીક સુચના આપવા વાંકાનેરના ધારાસભ્ય મહમદ જાવિદ પીરજાદા દ્વારા કલેક્ટરને રજૂઆત કરેલ છે 






Latest News