હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

દેશ-વિદેશમાં યોગના પ્રચારક રાજર્ષિ મુનિ બ્રહ્મલીન: પીએમએ શોક વ્યક્ત કર્યો


SHARE











દેશ-વિદેશમાં યોગના પ્રચારક રાજર્ષિ મુનિ બ્રહ્મલીન: પીએમએ શોક વ્યક્ત કર્યો

કાલોલના મલાવ ખાતે આજે સવારે રાજશ્રી મુનિના અંતિમ દર્શન થશે. ત્યારબાદ બે કલાકે કાયાવરોહણ ખાતે પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે લઈ જવાશે અને ૩૧ ઓગષ્ટ સવારે ૧૧ કલાકે રાજ રાજેશ્વર ધામ જાખણ ખાતે અંતિમ સંસ્કાર વિધિ પૂર્ણ કરવામાં આવશે.

પંચમહાલ લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક રાજશ્રી મુનિ બ્રહ્મલીન થયા છે. હૃદયરોગના હુમલા બાદ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં તેઓનું થયું નિધન થયુ છે. લાઈફ મિશન અંતર્ગત રાજર્ષિ  મુનિએ ગુજરાત, ભારત અને વિશ્વમાં યોગાભ્યાસ માટે અનેક સેન્ટરો શરૂ કર્યા છે. રાજશ્રી મુનિજીના બહોળા અનુયાયી વર્ગમાં શોક વ્યાપી ગયો છે. અને આ સમાચાર મળતા દેશના પીએમ નરેંદ્ર મોદીએ પણ શોની લાગણી વ્યકત કરી હતી

અત્રે ઉલેખનીય છે કે, વર્ષ ૨૦૧૨ માં દેશની પ્રથમ યોગ યુનિવર્સિટીની રાજર્ષિ  મુનિએ સ્થાપના કરી હતી. જેનું ઉદ્ઘાટન તે સમયના ગુજરાતનાં સીએમ અને હાલના દેશના પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું હતું. ગુજરાતમાં કાયાવરોહણ સ્થિત લકુલીશ મંદિર ખાતે પણ નિશુલ્ક યોગ શિબિરની શરૂઆત તેઓએ કરી હતી. વર્ષ ૧૯૮૨ માં સ્વામી કૃપાલવાનંદજી મહારાજે પોતાના શિષ્ય રાજર્ષિ મુનીને પોતાની તમામ જવાબદારીઓ સોંપી હતી. ત્યારથી યોગ વિદ્યાલય તેમજ લાઈફ મીશન ચલાવતા હતા

લાઈફ મિશન અંતર્ગત ઈટાલી, તાઈવાન, કેનેડા, યુએસએ અને રશિયા જેવા દેશોમાં પણ સેન્ટરો ચાલી રહ્યાં છે. જ્યારે આ દેશોના યુવાનો પણ લકુલીશ વિદ્યાલયમાં આવીને યોગની ડિગ્રી લઈ રહ્યાં છે. યોગ વિદ્યાલય અને લાઈફ મીશન અંતર્ગત રાજર્ષિ મુનીએ વર્ષ ૨૦૧૨ માં દેશની પ્રથમ યોગ યુનિવર્સીટી અમદાવાદ ખાતે સ્થાપી હતી. જ્યારે વડોદરાના કારેલી બાગ ખાતે પણ આ યુનિવર્સીટીનું સેન્ટર છે






Latest News