મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના રામદેવનગરમાં કોમન પ્લોટમાં થયેલ દબાણને દૂર કરવાની અધિકારીઓ કેમ નથી કરતાં હિંમત ?


SHARE











મોરબીના રામદેવનગરમાં કોમન પ્લોટમાં થયેલ દબાણને દૂર કરવાની અધિકારીઓ કેમ નથી કરતાં હિંમત ?

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળિયા વનાળીયા ગ્રામ પંચાયતની હદમાં આવતા રામદેવ નગરના કોમન પ્લોટમાં દબાણ કરવામાં આવી રહ્યું છે જેની સ્થાનિક તલાટી મંત્રીને તેમજ મામલતદારને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ દબાણને દૂર કરવા માટેની હિંમત કોઈ અધિકારી દ્વારા કરવામાં આવતી નથી ! જેથી કરીને આગામી દિવસોમાં આ દબાણના મુદ્દે કોઈ માથાકૂટ થાય તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે 

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળિયા વનાળીયા સોસાયટી પાસે આવેલ રામદેવનગરમાં રહેતા હિતેશભાઈ ડાયાભાઈ સાગઠીયા દ્વારા હાલમાં મામલતદારને લેખિત રજૂઆત કરીને માળિયા વનાળીયા ગ્રામ પંચાયતની હદમાં આવેલ રામદેવનગરના પ્લોટ નંબર ૪૨ પાસે કોમન પ્લોટની અંદર ડુંગરભાઇ ઉર્ફે કાળુભાઈ સોમાભાઈ પરમાર દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવી રહ્યું છે જેથી તેને દૂર કરવામાં આવે તેવી માંગ કરેલ છે અત્રે ઉલ્લેખીય છે કે માળિયા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી તેમજ મામલતદારને અરજદાર હિતેશભાઈ સાગઠીયા દ્વારા એક નહીં પરંતુ અનેક વખત દબાણને દૂર કરવા માટે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં તેઓ અરજી લેવામાં પણ નનૈયો કરતા હોય છે અને દબાણને દૂર કરવા માટે થઈને લેસ માત્ર કામગીરી કરવામાં આવી નથી ત્યારે જો આ દબાણના મુદ્દાને લઈને સ્થાનિક રામદેવ નગર વિસ્તારની અંદર કોઈ માથાકૂટ થાય તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે ત્યારે ગેરકાયદેસર દબાણ કરનારા તત્વની સામે કાયદેસરની કાર્યવાહી કારીને દબાણને કયારે દૂર કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News