મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના રામદેવનગરમાં કોમન પ્લોટમાં થયેલ દબાણને દૂર કરવાની અધિકારીઓ કેમ નથી કરતાં હિંમત ?


SHARE







મોરબીના રામદેવનગરમાં કોમન પ્લોટમાં થયેલ દબાણને દૂર કરવાની અધિકારીઓ કેમ નથી કરતાં હિંમત ?

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળિયા વનાળીયા ગ્રામ પંચાયતની હદમાં આવતા રામદેવ નગરના કોમન પ્લોટમાં દબાણ કરવામાં આવી રહ્યું છે જેની સ્થાનિક તલાટી મંત્રીને તેમજ મામલતદારને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ દબાણને દૂર કરવા માટેની હિંમત કોઈ અધિકારી દ્વારા કરવામાં આવતી નથી ! જેથી કરીને આગામી દિવસોમાં આ દબાણના મુદ્દે કોઈ માથાકૂટ થાય તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે 

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળિયા વનાળીયા સોસાયટી પાસે આવેલ રામદેવનગરમાં રહેતા હિતેશભાઈ ડાયાભાઈ સાગઠીયા દ્વારા હાલમાં મામલતદારને લેખિત રજૂઆત કરીને માળિયા વનાળીયા ગ્રામ પંચાયતની હદમાં આવેલ રામદેવનગરના પ્લોટ નંબર ૪૨ પાસે કોમન પ્લોટની અંદર ડુંગરભાઇ ઉર્ફે કાળુભાઈ સોમાભાઈ પરમાર દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવી રહ્યું છે જેથી તેને દૂર કરવામાં આવે તેવી માંગ કરેલ છે અત્રે ઉલ્લેખીય છે કે માળિયા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી તેમજ મામલતદારને અરજદાર હિતેશભાઈ સાગઠીયા દ્વારા એક નહીં પરંતુ અનેક વખત દબાણને દૂર કરવા માટે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં તેઓ અરજી લેવામાં પણ નનૈયો કરતા હોય છે અને દબાણને દૂર કરવા માટે થઈને લેસ માત્ર કામગીરી કરવામાં આવી નથી ત્યારે જો આ દબાણના મુદ્દાને લઈને સ્થાનિક રામદેવ નગર વિસ્તારની અંદર કોઈ માથાકૂટ થાય તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે ત્યારે ગેરકાયદેસર દબાણ કરનારા તત્વની સામે કાયદેસરની કાર્યવાહી કારીને દબાણને કયારે દૂર કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News