મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા રાજપુત સમાજના પ્રમુખ પદે સર્વાનુમતે દશરથસિંહ ઝાલા (દશુભા)ની વરણી


SHARE







મોરબીમાં રાજપુત સમાજ ભવન ખાતે આજે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા સર્વાનુમતે મોરબી જીલ્લા રાજપુત સમાજના પ્રમુખ પદે દશરથસિંહ ઉદુભા ઝાલા (દશુભા) (અદેપર) ની વરણી કરવામાં આવી છે

મોરબી રાજપુત સમાજની સાધારણ સભા મયુર સ્મૃતિ ભવન લખધીરવાસ મોરબી ખાતે રવિવારે સાંજે ૪ કલાકે રાખેલ હતી. જેમા મોરબીના રાજપૂત સમાજના ભાઈઓ હાજર રહ્યા હતા અને મિટીંગમાં  આજદિન સુધીના હિસાબો રજુ કર્યા હતા બાદમાં નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી જેમા સર્વાનુમતે મોરબી જીલ્લા રાજપુત સમાજના પ્રમુખ પદે દશરથસિંહ ઉદુભા ઝાલા (દશુભા) (અદેપર) ની વરણી કરવામાં આવી છે જેને સમાજના આગેવાનો સહિતના હોદેદારોએ આવકારીને અભિનંદન પાઠવ્યા છે સાથેસાથે આ સભામાં સમાજભવન નિર્માણ બાબત તથા નવા ટ્રસ્ટીઓની ચર્ચા કરવામાં આવી હતી તેમ સમાજના માજી પ્રમુખ રઘુવિરસિંહ ઝાલા અને માજી મહામંત્રી મહાવિરસિંહ જાડેજાએ જણાવેલ છે.

 






Latest News