મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદના નવા માલણીયાદ ગામે ઘરની પાછળ ઘાસ કાઢવાનું કામ કરી રહેલા આધેડ ઉપર ધારિયા વડે હુમલો: આઠ સામે ફરિયાદ


SHARE











હળવદના નવા માલણીયાદ ગામે ઘરની પાછળ ઘાસ કાઢવાનું કામ કરી રહેલા આધેડ ઉપર ધારિયા વડે હુમલો: આઠ સામે ફરિયાદ

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે ઘરની પાછળના ભાગમાં ઘાસ કાઢવાની કામગીરી આધેડ કરી રહ્યા હતા ત્યારે ત્યાં પાછળના ભાગે રહેતા શખ્સોને તે સારું નહીં લાગતા ચાર મહિલા સહિત આઠ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આધેડને માથા અને પગમાં ધારિયાના ઘા ઝીકવામાં આવ્યા હતા તેમજ પાઇપ અને ધોકા વડે આધેડને તેમજ મહિલા સહિત અન્ય બે વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડ સહિતના ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ આધેડે ચાર મહિલા સહિત કુલ મળીને આઠની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના માલણીયાદ ગામે રહેતા ઘનશ્યામભાઈ માવજીભાઈ કંઝરિયા જાતે દલવાડી (ઉમર ૫૦) એ હાલમાં રતિલાલ મૂળજીભાઈ પરમાર, ભગવાનજીભાઈ મૂળજીભાઈ પરમાર, કિશોરભાઈ મૂળજીભાઈ પરમાર, મુજીભાઇ હરજીભાઈ પરમાર, રૂખીબેન મૂળજીભાઈ પરમાર, મનિષાબેન કિશોરભાઈ પરમાર, ભાવનાબેન રતિભાઈ પરમાર અને ભગવાનજીભાઈના પત્નીની સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ પોતાના ઘરની પાછળની શેરીમાં ઘાસ કાઢવાની કામગીરી કરી રહ્યા હતા જે આરોપીઓને સારું નહીં લાગતા રતિલાલ મૂળજીભાઈ પરમારે ધારિયા વડે તેના ઉપર હુમલો કરીને માથા તેમજ પગમાં ઘરિયાના બે ઘા માર્યા હતા તેમજ ભગવાનજીભાઈ, કિશોરભાઈ અને મૂળજીભાઈએ પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો અને સાહેદ ત્રિભોવનભાઈ અને કંચનબેનને કિશોરભાઈ, મનિષાબેન, ભાવનાબેન અને ભગવાનજીભાઈની પત્ની સહિતનાઓએ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પથ્થરના છુટ્ટા ઘા કરીને ઇજાઓ કરી હતી જેથી ભોગ બનેલા ઘનશ્યામભાઈ કંઝરિયા, કંચનબેન અને ત્રિભુવનભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ ઘનશ્યામભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર મહિલા સહિત આઠની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News