મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી-માળીયાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કિશોરભાઇ ચિખલિયાની સીએમને રજૂઆત


SHARE











મોરબી-માળીયાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કિશોરભાઇ ચિખલિયાની સીએમને રજૂઆત

ચાલુ વર્ષે ગુજરાતમાં સિઝનનો ૧૦૦ ટકા વરસાદ વરસી ગયો છે અને કેટલાક વિસ્તારમાં વધુ વરસાદ પડ્યો છે ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ મેઘમહેર થવાથી હાલમાં લીલા દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખે સીએમને લેખિત રજૂઆત કરીને મોરબી અને માળીયા તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા રજૂઆત કરી હતી.

મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઇ પ્રેમજીભાઇ ચિખલીયાએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, છેલ્લા એક દોઢ મહિનાથી મોરબી અને માળીયા(મી)માં નિરંતર વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ  દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અત્યાર સુધી પડેલા વરસાદના લીધે બન્ને તાલુકાના ઘણાખરા ખેડૂતોને ઉભા પાકને નુકશાન થયુ છે તેમજ આગામી સમયમાં ભારે વરસાદને પગલે હજુ પણ નુકશાન થાય તેમ છે જેથી કરીને તમામ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો ન આવે તે માટે મોરબી અને માળીયા(મી) તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી રજૂઆત કરેલ છે






Latest News