મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીના ખોખરા હનુમાનજી મંદિર સારશ્વત સત્સંગ કાર્યક્રમમાં હાજરી આપી


SHARE











રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીના ખોખરા હનુમાનજી મંદિર સારશ્વત સત્સંગ કાર્યક્રમમાં હાજરી આપી

મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાનજી મંદિર હરીહર ધામ ખાતે સારશ્વત સત્સંગ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ તકે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ખોખરા હનુમાનજીના ચરણોમાં વંદન કરી પોતાને ભાગ્યશાળી ગણાવતા જણાવ્યું હતું કે, અહીં ખોખરા હનુમાનજી મંદિર ખાતે ધર્મના પ્રચાર તેમજ સંસ્કૃતિના સંવર્ધન માટે એક નવી જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી છે. આ પ્રભાવશાળી જગ્યા પર દિવ્ય અનુભૂતિ થાય છે આ પ્રસંગે ખોખરા હનુમાનજી મંદિરના મહંત માતાજી કનકેશ્વરીદેવી, મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ સારશ્વત સર્વની ઉપસ્થિતિમાં મંદિરના પટાંગણમાં વિશાળ સભાખંડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરના મહંત માતાજી કનકેશ્વરીદેવી, સારશ્વત સર્વ કૌશિકભાઇ વ્યાસ, કથાકાર જીગ્નેશ દાદા, ગૌતમ શાસ્ત્રી, હરેશ શાસ્ત્રી, ધનંજય શાસ્ત્રી તથા વિવિધ સારશ્વત, કથાકારો, સંતો-મહંતો તેમજ ભક્તજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

લશ્કરી ભરતી રેલીમાં ઉપસ્થિત રહેવા ૩ સપ્ટેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરવુ

ભારતીય  સૈન્યમાં સૈનિક કક્ષાની અલગ અલગ જગ્યાઓ (અગ્નીવીર સોલ્જર જનરલ ડ્યુટી, અગ્નીવીર સોલ્જર ટેકનીકલ, અગ્નિવીર સોલ્જર ક્લાર્ક/SKT, અગ્નિવીર સોલ્જર ટ્રેડ-મેન તમામ ટ્રેડ, વગેરે) પર ભરતી કરવા માટે આગામી તા. ૨૦/૧૦/૨૦૨૨ થી તા. ૧૨/૧૧/૨૦૨૨ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિર્વસિટી સ્પોર્ટસ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે આર્મી રીક્રુટીંગ ઓફીસર જામનગર દ્વારા ભરતી રેલીનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ઉપસ્થિત રહેવા માટે  ઇન્ડિયન આર્મીની વેબસાઇટ www.joinindianarmy.inc.in  પર ફરજિયાત રજીસ્ટ્રેશન  કરાવવાનું રહે છે. જેથી  ભારતીય સેનામાં  જોડાવા  માટેની રેલીમાં ઉપસ્થિત રહેવા ઇચ્છુક ઉમેદવારોએ તાત્કાલિક ઓનલાઇન  રજીસ્ટ્રેશન તા. ૦૩/૦૯/૨૦૨૨ સુધીમાં કરાવવા મોરબી રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે






Latest News