મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











મોરબીના લખધીરપુર રોડે કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપરથી પસાર થતી કેનાલમાં ડૂબી જવાના કારણે યુપીના યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના બોડીને પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડવામાં આવી હતી અને આ બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ યુપીના કાસગંજ જિલ્લાના ગોહરા ગામના રહેવાસી અને હાલમાં ઘુટુ ગામની સીમમાં આવેલ આલ્ફા સીરામીક નામના કારખાનામાં મજૂરી કામ કરતા અને ત્યાં મજૂરની ઓરડીમાં રહેતા રાજુભાઈ પ્યારેલાલ નાયક જાતે વણઝારા આદિવાસી (ઉમર ૨૫) ગત તા૧૯ ના રોજ બપોરના સમયે લખધીરપુર રોડ ઉપરથી પસાર થતી નર્મદાની કેનાલમાં નાહવા માટે ગયો હતો અને ત્યારે નર્મદાની કેનાલના પાણીમાં તે ડૂબી ગયો હતો જેથી કરીને પાલિકમાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટીમ સ્થળ ઉપર આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમે કેનાલના પાણીમાંથી મૃતક યુવાનની ડેડબોડીને બહાર કાઢી હતી જેથી કરીને બોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News