મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા
Breaking news
Morbi Today

મોરબીના સનાળા પાસે રાજપૂત સમાજની વાડીએ યોજાયેલ જન્માષ્ટમી લોકમેળામાં અનેક રાઇડનો આનંદ લુંટતા લોકો


SHARE











મોરબીના સનાળા પાસે રાજપૂત સમાજની વાડીએ યોજાયેલ જન્માષ્ટમી લોકમેળામાં અનેક રાઇડનો આનંદ લુંટતા લોકો

મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ રાજપર ચોકડી નજીક રાજપૂત સમાજની વાડી ખાતે હાલમાં જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં અવનવી નાની મોટી રાઇડો પણ મુકવામાં આવી છે જેથી કરીને લોકોને મેળાની મજા માણવાની સાથે જુદી જુદી રાઈડમાં બેસવાની પણ ત્યાં મજા આવશે જેથી કરીને આગામી તા. ૨૧ સુધી આ મેળો ચાલુ રહેવાનો હોય મોરબીવાસીઓને તેનો લાભ લેવા માટે આયોજકો દ્વારા અપીલ કરાઈ છે 

મોરબી શહેરમાં આ વખતે નગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું નથી જોકે ખાનગી ચાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે પૈકીનો એક મેળો મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ રાજપર ચોકડી નજીક રાજપૂત સમાજની વાડી ખાતે ચાલુ છે અને આ મેળીને મોરબીના સનાળા ગામે આવેલ શક્તિ માતાજી મંદિરના પૂજારીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને આ મેળાની અંદર નાની મોટી અવનવી રાઇડો તેમજ જોઈન્ટ વ્હિલ, નાવડી, ડ્રેગન ટ્રેન, એરોપ્લેન તેમજ બાળકો માટે અવનવી ચકરડી, જમ્પિંગ, જંગલ બોન્સી તેમજ જાદુના પ્રોગ્રામ આ જન્માષ્ટમી મેળામાં લોકોના મનોરંજન માટે રાખવામાં આવેલ છે ત્યારે મેળાના આયોજક નરેશભાઈ કારીયા અને તેઓની ટીમ દ્વારા મોરબીવાસીઓના મનોરંજન માટે ખુલ્લા મુકવામાં આવેલ આ મેળાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે અને વધુમાં તેઓ જણાવ્યુ છે કે, આ મેળો તા. ૨૧ સુધી ચાલુ રહેવાનો છે જેથી આ મેળામાં લોકો મનભરીને મનોરંજન માણી શકશે






Latest News