મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શીતળા માતાના મંદિર સામે યોજાતા મેળાને મહારાજા કેસરીદેવસિંહએ ખુલ્લો મુક્યો


SHARE







સૌરાષ્ટ્ર ભરમાં ગામે ગામ આજથી જન્માષ્ટમીના મેળાનો પ્રારંભ થયો છે ત્યારે જો વાત કરીએ વાંકાનેરની તો વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં પાલિકા સંચાલિત લોકમેળા માટેના મેદાનની જ્યારે હરરાજી કરવામાં આવી હતી અને તે મેળાનું મેદાન 11,50,000 માં હરરાજીમાં સૌથી ઊંચી બોલી બોલનાર વ્યક્તિને ફાળવવામાં આવ્યું હતું અને નાગાબાવાના મંદિરની સામેના ભાગમાં આવેલા મેદાનમાં મેળાનુંનોમ નોમ અને દશમના દિવસે આયોજન કરવામાં આવ્યું છે અને આજે વાંકાનેરમાં શીતળા માતાજીના મંદિર પાસે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નાની મોટી 25 જેટલી રાઇડો તેમજ રમકડાના સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળો આજે સવારે વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને વાંકાનેરવાસીઓ મેળામાં અને જુદી જુદી રાઇડોમાં બેસવાની મજા માણવાની સાથોસાથ ખાણીપીણી અને રમકડાના સ્ટોલ સહિતના સ્ટોલનો પણ લાભ લઇ શકશે તેવી લાગણી મહારાજા કેસરીદેવસિંહ તેમજ મેળાના આયોજકોએ જણાવ્યું છે






Latest News