મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના જડેશ્વર મંદિરે ગાયોના લાભાર્થે ભવાઈ મંડળનો કાર્યક્રમ યોજાશે


SHARE







વાંકાનેરના જડેશ્વર મંદિરે ગાયોના લાભાર્થે ભવાઈ મંડળનો કાર્યક્રમ યોજાશે

દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટા જડેશ્વર સ્વયંભુ (રતન ટેકરી) વાંકાનેરના સાનિધ્યમાં ગાયોના લાભાર્થે સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ(ખાખરાળા) નાયક સ્વ.હરીલાલ કાનજીભાઈ ના મંડળ દ્વારા તા. ૨૧ ને રવિવારે રાત્રે ભવાઈ કાર્યક્રમનું આયોજન કરવાં આવ્યું છે જેનો લાભ લેવા સંચાલક તથા જડેશ્વર મહંત દ્વારા ગૌપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

વાંકાનેર નજીક આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગૌ સેવાના લાભાર્થે કોરોના કાળના બે વર્ષ બાદ ભવ્ય લોક ભવાઈનો કાર્યક્રમ રાખેલ છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોક ભવાઈ ખાખરાળાના વ્યાસ સ્વ. હરીભાઇ કાનજીભાઇના "સ્વામી વિવેકાનંદ-ભવાઇ મંડળના કલાકારો રજૂ કરશે અને ત્યારે શ્રી જડેશ્વર દાદાનો મુજરો" રજૂ કરવામાં આવશે આ કાર્યક્રમ રવિવાર તા. ૨૧ ના રોજ રાતે ૧૦ વાગ્યે શરૂ થશે તેવું મંદિરના લઘુ મહંત જિતેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ છે






Latest News