મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં પ્રેમી સાથે રહેતી સગર્ભા યુવતીનું સારવાર દરમ્યાન મોત


SHARE











વાંકાનેર નજીક કારખાનામાં પ્રેમી સાથે રહેતી સગર્ભા યુવતીનું સારવાર દરમ્યાન મોત

વાંકાનેરના ભુજપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં પ્રેમીની સાથે રહેતી યુવતીને છેલ્લા દિવસોથી તાવ આવતો હતો જેથી તેને પ્રથમ સારવાર વાંકાનેરમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં બેભાન હાલતમાં યુવતીની સારવાર ચાલી રહી હતી અને સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજ્યું છે જેથી કરીને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મુળ છોટા ઉદયપુર જિલ્લાની રહેવાસી અને હાલમાં વાંકાનેરના ભોજપર ગામની સીમમાં ક્યુરેક્સ સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતી જ્યોત્સનાબેન શેખાભાઈ ઉર્ફે શંકરભાઈ નાયકા જાતે આદિવાસી (ઉમર ૧૮) નામની યુવતી તેના પ્રેમી અનકેસભાઈ ટીનીયાભાઈ રાઠવા સાથે કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતી હતી અને તેને છેલ્લા દિવસોથી તાવ આવતો હતો જેથી પ્રથમ સારવાર માટે વાંકાનેર ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે આ યુવતીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવતીને ત્રણ માસનો ગર્ભ હતો અને તાવ સબબ તેમજ લોહીની ટકાવારી ઓછી હોવાના કારણે અને બીમારીના લીધે તેનું મૃત્યુ થયું હોવાનું ડોક્ટર પાસેથી જાણવા મળી રહ્યું છે હાલમાં આ બનાવની વાંકાનેર સિટી પોલીસ દ્વારા નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News