ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૧૩થી ૧૫ સુધી સૌ તિરંગો લહેરાવી રાષ્ટ્ર ભાવનાને જાગૃત કરીએ: જે.બી.પટેલ 


SHARE











મોરબી જીલ્લામાં ૧૩થી ૧૫ સુધી સૌ તિરંગો લહેરાવી રાષ્ટ્ર ભાવનાને જાગૃત કરીએજે.બી.પટેલ 

સમગ્ર ભારત દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ હર ઘર તિરંગા અભિયાનની ઉમંગભેર ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત મોરબીની સમગ્ર જનતાને ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન દરેક ઘર ઓફિસ વગેરે જગ્યાએ તિરંગો લહેરાવવા અપીલ કરતાં જિલ્લા કલેકટર શ્રી જે.બી. પટેલે જણાવ્યું હતું કેદેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે. જે હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવ  અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા કાર્યક્રમને એક અભિયાન સ્વરૂપે શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવાના આ અભિયાનમાં લોકોનો સહકાર પણ મળી રહ્યો છે. ત્યારે આ અભિયાનમાં જોડાવવા માટે મોરબીની જાહેર જનતાને નમ્ર અપીલ કરું છું. આપના ઘરઓફિસફેક્ટરીતમામ સ્થળે ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન આપણે સૌ તિરંગો લહેરાવી રાષ્ટ્ર ભાવનાને જાગૃત કરવા પણ તેમણે વધુમાં જણાવ્યું હતુ.






Latest News