રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં લોકોએ તિરંગાને પૂરા સન્માન સાથે લહેરાવવો


SHARE











મોરબી જીલ્લામાં લોકોએ તિરંગાને પૂરા સન્માન સાથે લહેરાવવો

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ શું છે આ હર ઘર અભિયાન. આ અભિયાન થકી કેન્દ્ર સરકારે ૨૦ કરોડ ઘર પર તિરંગો ફરકાવાનું લક્ષ્ય રાખ્યું છે. જે અંતર્ગત દરેક રાજયમાં ૧ કરોડ તિરંગાની વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં ૭૦ લાખ તિરંગા કેન્દ્ર મોકલશે તથા ૩૦ લાખની વ્યવસ્થા રાજય સરકાર દ્વારા કરવામાં આવશે. આ રાષ્ટ્ર ધ્વજ ત્રણ સાઈઝમાં ઉપલબ્ધ હશે. તેની કિંમત ૯૧૮ અને ૨૫ રૂપિયા રાખવામાં આવી છે.

હર ઘર તિરંગા અભિયાન હેઠળ તમે તિરંગો ફરકાવો ત્યારે રાષ્ટ્રધ્વજ ફાટેલો કે કરચલી પડેલો ન હોવો જોઈએતિરંગો જે ઊંચાઈએ ફરકતો હોયતેનાથી વધારે ઊંચે બીજો કોઇ ધ્વજ ન ફરકાવાયરાષ્ટ્રધ્વજનો કોઇ પણ પ્રકારના શણગાર માટે ઉપયોગ ન થવો જોઈએરાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતેકેસરી રંગ ઉપરની તરફ રહે તે ધ્યાન રાખવુંરાષ્ટ્રધ્વજના દંડ કે રાષ્ટ્રધ્વજ પર ફૂલ,તોરણહાર વગેરે ન મૂકવાં જોઈએકોઇ વસ્તુ છુપાવવા માટે તેનો ઉપયોગ ન થવો જોઈએરાષ્ટ્રધ્વજ જમીન પર ન પડેલો હોવો જોઈએ કે ન પાણીમાં તરતી અવસ્થામાં હોવો જોઈએજો જરૂરી હોય તો તેની અંદરની બાજુએ ફૂલ મુકી શકાય છે તથા રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તે દંડની જમણી તરફ હોવો જોઈએ વગેરે બાબતોનું ખાસ ધ્યાન રાખવું.

વાત કરીએ ફ્લેગ કોડની તો,  ફ્લૅગ કોડમાં ત્રણ ફેરફાર કરાયા છે જે હેઠળ પહેલા સુર્યોદય પછી અને સુર્યાસ્ત પહેલાં રાષ્ટ્રધ્વજ ફરકાવાનોખુલ્લી જગ્યામાં કે ઘર પર તિરંગો ન ફરકાવી શકાય તથા માત્ર ખાદીના કાપડનો ધ્વજ ફરકાવી શકાશે તેવા નિયમો હતા. જ્યારે હવે રાષ્ટ્રધ્વજ દિવસે અને રાત્રે બંને સમય ફરકાવી શકાશેખુલ્લી જગ્યામાં કે ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે તથા ખાદી સિવાયના કાપડનો ધ્વજ પર ફરકાવી શકાશે.






Latest News