મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી અને માળીયા તાલુકામાં લોકો જાગૃત કરવા આમ આદમી પાર્ટી કરશે ડાયરા


SHARE







મોરબી અને માળીયા તાલુકામાં લોકો જાગૃત કરવા આમ આદમી પાર્ટી કરશે ડાયરા

વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા લોકોને જાગૃત કરવા માટે અને દિલ્હીમાં લોકોને જેવી ઘરે બેઠા સરકારી સેવાઓ મળી રહી છે તેની સાચી વાત પહોચડવા માટે મોરબી માળીયા વિધાનસભા બેઠકમાં પાર્ટીના પ્રચાર માટે ડાયરાના આયોજન કરવામાં આવેલ છે.

મોરબી માળીયા વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી ૧૫ જેટલા ડાયરા આગામી દિવસોમાં કરશે જેમાં લોકોને ડાયરા મધ્યમથી લોકોને ગુજરાત સરકારની નિષ્ફળતા આ ને દિલ્હી સરકાર દ્વારા લોકો માટે જે કામ કરવામાં આવી રહ્યું છે તેની માહિતી આપવામાં આવશે અને જનસંવાદ કાર્યક્રમ યોજાશે અને તા. ૯ થી ડાયરા શરૂ કરવામાં આવેલ છે જે બેલા, રંગપર, નાની બરાર સહિતના ગામમાં યોજાશે તેમજ તા ૧૦ ના રોજ કેરાળા અને ચાચાવદરડા, તા ૧૧ ના રોજ ધરમપુર અને મોટાભેલા, તા ૧૨ જેતપર અને દેરાળા, તા ૧૩ ના રોજ નાગડાવાસ અને ઘાટીલ, તા ૧૪ ના રોજ ચકમપર અને ખીરઈ, તા ૧૫ ના રોજ સોખડા અને મોટા દહીંસરા તેમજ તા ૧૭ ના રોજ કાજેડા ગામે ડાયરો અને જનસંવાદ યોજાશે






Latest News