મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન મંદિર પાસેથી બાઇક ચોરીની ઇ-એફઆઈઆર નોંધાઈ


SHARE







મોરબીના ખોખરા હનુમાન મંદિર પાસેથી બાઇક ચોરીની ઇ-એફઆઈઆર નોંધાઈ

મોરબી જિલ્લામાં લોકોને ઇ એફઆઇઆર માટે પોલીસ દ્વારા જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શ્રીજી પેલેસમાં રહેતા યુવાનનું બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર નજીકથી થોડા સમય પહેલા બાઇક ચોરી થયું હતું જેથી તે યુવાને ઇ એફઆઇઆર નોંધાવી હતી જેથી પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને ૨૦૦૦૦ ની કિંમતનું બાઈક ચોરી કરનારા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

છેલ્લા ઘણા દિવસોથી મોરબીમાં પોલીસ અધિક્ષક સહિતના પોલીસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા શાળા કોલેજોમાં જઈને અને વિવિધ જગ્યા ઉપર લોકોને ઈ એફ.આઇ.આર મુદ્દે સમજણ આપવામાં આવી રહી છે ત્યારે મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ સરદાર પટેલ નગરમાં શ્રીજી પેલેસમાં રહેતા ઉજમશીભાઈ ભાણજીભાઈ દલસાણીયા જાતે પટેલ (ઉંમર ૪૨) એ ઇ એફઆઇઆરથી પોતાનું બાઈક ચોરી થયું હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગત તા. ૮/૪ ના રાત્રિના દસેક વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના ૪ વાગ્યા સુધી મોરબી નજીકના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિરના ગેટ પાસે તેને પોતાનું બાઈક નંબર જીજે ૩ એફએન ૭૪૩૨ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક ચોરી કરી ગયેલ છે જેથી કરીને પોલીસે હાલમાં ઈ એફઆઇઆરની મદદથી મળેલ ફરિયાદને નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મારા મારીમાં ઇજા

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગરમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાજેશભાઈ સવજીભાઈ આહીર (ઉંમર ૪૧) ને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને મારામારીના બનાવવાની પોલિસે નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી






Latest News