મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન મંદિર પાસેથી બાઇક ચોરીની ઇ-એફઆઈઆર નોંધાઈ


SHARE











મોરબીના ખોખરા હનુમાન મંદિર પાસેથી બાઇક ચોરીની ઇ-એફઆઈઆર નોંધાઈ

મોરબી જિલ્લામાં લોકોને ઇ એફઆઇઆર માટે પોલીસ દ્વારા જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શ્રીજી પેલેસમાં રહેતા યુવાનનું બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર નજીકથી થોડા સમય પહેલા બાઇક ચોરી થયું હતું જેથી તે યુવાને ઇ એફઆઇઆર નોંધાવી હતી જેથી પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને ૨૦૦૦૦ ની કિંમતનું બાઈક ચોરી કરનારા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

છેલ્લા ઘણા દિવસોથી મોરબીમાં પોલીસ અધિક્ષક સહિતના પોલીસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા શાળા કોલેજોમાં જઈને અને વિવિધ જગ્યા ઉપર લોકોને ઈ એફ.આઇ.આર મુદ્દે સમજણ આપવામાં આવી રહી છે ત્યારે મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ સરદાર પટેલ નગરમાં શ્રીજી પેલેસમાં રહેતા ઉજમશીભાઈ ભાણજીભાઈ દલસાણીયા જાતે પટેલ (ઉંમર ૪૨) એ ઇ એફઆઇઆરથી પોતાનું બાઈક ચોરી થયું હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગત તા. ૮/૪ ના રાત્રિના દસેક વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના ૪ વાગ્યા સુધી મોરબી નજીકના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિરના ગેટ પાસે તેને પોતાનું બાઈક નંબર જીજે ૩ એફએન ૭૪૩૨ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦ હજાર રૂપિયાની કિંમતનું બાઈક ચોરી કરી ગયેલ છે જેથી કરીને પોલીસે હાલમાં ઈ એફઆઇઆરની મદદથી મળેલ ફરિયાદને નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મારા મારીમાં ઇજા

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગરમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાજેશભાઈ સવજીભાઈ આહીર (ઉંમર ૪૧) ને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને મારામારીના બનાવવાની પોલિસે નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી






Latest News