મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે માલગાડીની હડફેટે ચડી જતાં યુવાનનું મોત


SHARE







વાંકાનેરના ઢુવા પાસે માલગાડીની હડફેટે ચડી જતાં મજૂર યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે રેલ્વે ટ્રેક ઉપરથી માલગાડી પસાર થતી હતી ત્યારે તે માલગાડીની અડફેટે મજૂરી યુવાન ચડી ગયો હતો જેથી કરીને તેને ગંભીર થઈ હોવાથી તે મજૂર યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને સારવાર કારગત નહીં નીવડતા મજૂર યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ પાસે આવેલ એંજો સીરામીકની લેબર કોલોનીમાં રહીને મજૂરી કામ કરતા મજૂર હીરાલાલ ઉર્ફે કાલુ નારાયણ યાદવ (ઉંમર ૨૫) ઢુવા ગામ પાસે આવેલ રેલવે ટ્રેક ઉપરથી જ્યારે માલગાડી પસાર થતી હતી ત્યારે માલગાડીની હડફેટે ચડી ગયા હતા જેથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી 






Latest News