મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

વાંકાનેરના બોકડથંભા પાસે ટ્રેનની હડફેટે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત


SHARE











 

વાંકાનેરના બોકડથંભા પાસે ટ્રેનની હડફેટે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેર નજીક આવેલ બોકડથંભા ગામની સીમમાંથી પસાર થતી ટ્રેનની હડફેટે આવી જતા અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું જેથી દલડી રેલવે સ્ટેશનના સ્ટેશન મસ્તરે આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા બોકડથંભા ગામની સીમમાંથી ઓખા અરુણા કુલમ ટ્રેન ગઈકાલે બપોરે ૧૨:૩૦ વાગ્યાના અરસામાં પસાર થઈ રહી હતી ત્યારે કોઈ અજાણ્યો ૩૫ વર્ષનો યુવાન તે ટ્રેનની હડફેટે ચડી ગયો હતો જેથી ગંભીર રીતે ઇજાઓ થઈ હોવાના કારણે તે યુવાનનું ઘટના નીપજ્યું હતું અને આ બનાવની દલડી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર મનસુખભાઈ શંકરભાઈ બરાસરા દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી મૃતક યુવાનના મૃતદેને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

હાર્ટ એટેકથી મોત

વાંકાનેર નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા બાબુભાઈ હીરાભાઈ ઝાલા જાતે વાલ્મિકી (ઉંમર ૫૭) પોતાના ઘરે આંબેડકર નગર શેરી નં-૫ ખાતે હતા ત્યારે તેઓને હાર્ટ એટેકનો હુમલો આવી જતા તે પડી ગયા હતા અને ત્યારબાદ તેને વિકીભાઈ ઝાલા વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે ફરજ ઉપરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરતા આ બનાવવાની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News