મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

સમાચારની અસર: મોરબીના જોધપર નજીક ફેંકવામાં આવેલ મૃત ગૌવંશોના મૃતદેહનો તાત્કાલિક તંત્રે કર્યો યોગ્ય નિકાલ


SHARE











સમાચારની અસર: મોરબીના જોધપર નજીક ફેંકવામાં આવેલ મૃત ગૌવંશોના મૃતદેહનો તાત્કાલિક તંત્રે કર્યો યોગ્ય નિકાલ

મોરબીના જોધપર પાસે મૃત ગૌવંશોના મૃતદેહને રજડતી હાલતમાં ફેકવામાં આવ્યા છે જેના સમાચાર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા જેથી કરીને આજે તાલુક અને જિલ્લા કોંગ્રેસનાં આગેવાનો સ્થળ ઉપર ગયા હતા અને ત્યાં અંદાજે ૨૦૦ થી વધુ ગૌવંશોના મૃતદેહ રજડતી હાલતમાં પડ્યા હતા જેથી કોંગ્રેસ કલેક્ટરને ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું અને સમાચારની અસરના ભાગરૂપે તંત્ર દ્વારા ચાર કલાકમાં તમામ મૃતદેહનો સાયંટિફિક રીતે નિકાલ કરી નાખવામાં આવેલ છે

ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર લંપી વાયરસના કારણે ગાય અને ગૌવંશોના મૃત્યુના બનાવો બન્યા છે ત્યારે મોરબી જિલ્લો પાનાં તેમાંથી બાકાત નહીં અને અનેક ગૌવંશોના છેલ્લા દિવસોમાં મોરબી જીલ્લામાં પણ મૃત્યુ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે અને મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ પટેલ બોર્ડિંગની પાછળના ભાગમાં ઢાળ ઉપર જે ડમ્પિંગ પશુઓના મૃતદેહના નિકાલ માટે બનાવવામાં આવી છે ત્યાં અંદાજે ૨૦૦ થી વધુ ગૌવંશોના મૃતદેહ રજડતી હાલતમાં પડ્યા છે અને તે છેલ્લા દિવસોમાં લંપી વાયરસ કે અન્ય કોઈપણ કારણોસર મૃત્યુ પામેલા ગૌવંશોના જ મૃતદેહ છે તેવું જાણવા મળ્યું છે અને આ અંગેના સમાચાર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરૂ, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડસુંબિયા, અશ્વિનભાઈ વિડજા, હનીફભાઇ પાયક, ચેતનભાઈ એરવાડીયા સહિતના આગેવાનો જોધપર ગામની સીમમાં પહોચ્યા હતા અને મૃતદેહનો યોગ્ય નિકાલ કરવા માટે કલેક્ટરને ૨૪ કલાકનું અલ્ટિમેટમ આવ્યું હતું

ત્યાર બાદ ૨૦૦ જેટલા ગૌવંશોના જે મૃતદેહને ફેંકવા આવેલ છે તેનો યોગ્ય રીતે નિકાલ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને મોરબી મોરબી પાંજરાપોળ, યદુનંદન ગૌશાળા અને પાલિકાના ત્રણ જેસીબીને બોલાવીને ખાડા કરીને તાત્કાલિક તમામ ગૌવંશોના મૃત્યુનો મલાજો જળવાઈ તે રીતે ખાડા ખોદીને તમામ મૃતદેહનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, મોરબી પાંજરાપોળ, સતનામ ગૌશાળા, યદુનંદન ગૌશાળા સહિતના જગ્યાઓએ મૃત્યુ પામતા ગૌવંશોના મૃતદેહને ત્યાં ફેંકવામાં આવ્યા હતા અને સમાચારને ઉજાગર કરવામાં આવતાની સાથે જ તંત્ર વાહકો હરકતમાં આવ્યા હતા અને તાલુકાના પશુ ડોક્ટરની હાજરીમાં મૃત પશુનો સાયંટિફિકલી નિકાલ કરવામાં આવેલ છે 






Latest News