હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા આધેડે દવા પી લેતા સારવારમાં


SHARE











મોરબીમાં રહેતા આધેડે દવા પી લેતા સારવારમાં

મોરબીમાં રહેતા વિપ્ર આધેડે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

રાજકોટ હોસ્પિટલ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલા કુબેરનગર વિસ્તારમાં રહેતા મયુરભાઈ ધનશંકરભાઈ ઉપાધ્યાય નામના ૫૫ વર્ષીય આધેડે કોઈ કારણોસર તેઓના ઘેર ગઈકાલે ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેઓને સારવાર માટે હાલમાં રાજકોટ ખસેડાયા છે મૂળ ધાંગધ્રા રહેવાસી અને છેલ્લા ઘણા વારસોથી મોરબીમાં રહેતા મયુરભાઈ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામકાજ કરે છે અને હાલ તેઓએ કયા કારણોસર ઉપરોક્ત પગલું ભર્યું એ દિશામાં પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

બાળકી સારવારમાં

મોરબીના રણછોડગઢ માથક ગામની રહેવાથી અંજુબેન અરવિંદભાઈ ગઢૈયા નામની બાર વર્ષની બાળકીને માથક ગામે ઘરની પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને અહિંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અંજુબેનને રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળે છે.

ફૂડ પોઈસઝનીંગ થતા સારવારમાં

મોરબીના નવલખી-કંડલા બાયપાસ રોડ ઉપર ૨૫ વારીયાના ક્વાર્ટરમાં રહેતા દેવુબેન નથુભાઈ સોલંકી (૬૦) અને નરસી નથુભાઈ સોલંકી (૩૦) નામના માતા પુત્રને ફુડ પોઇઝનની અસર થવાથી બંનેને સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.જોકે સારવાર બાદ એ ડિવિઝન પોલીસને મથકના પી.એચ.બોરાણા દ્વારા નિવેદનો લેવાતા ખુલ્યુ હતુ કે બંનેને ચક્કર આવી જતા પડી જતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

બાઈક સલીપ થતા  ઇજા

મોરબીના પીપળી-જેતપર રોડ ઉપર આવેલ આર્કિસ્ટોન સીરામીક નજીક રહેતો મીન્ટુભાઈ શંભુભાઈ પંડિત નામનો ૨૬ વર્ષીય પરપ્રાંતિય મજૂર ગત તા.૨૫ ના દસેક વાગ્યે પોતાનું બાઇક લઈને જતો હતો.ત્યારે જેતપર રોડ ઉપર આવેલ સીયારામ સિરામીક નજીક તેનું બાઇક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.






Latest News