મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા આધેડે દવા પી લેતા સારવારમાં


SHARE







મોરબીમાં રહેતા આધેડે દવા પી લેતા સારવારમાં

મોરબીમાં રહેતા વિપ્ર આધેડે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

રાજકોટ હોસ્પિટલ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલા કુબેરનગર વિસ્તારમાં રહેતા મયુરભાઈ ધનશંકરભાઈ ઉપાધ્યાય નામના ૫૫ વર્ષીય આધેડે કોઈ કારણોસર તેઓના ઘેર ગઈકાલે ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેઓને સારવાર માટે હાલમાં રાજકોટ ખસેડાયા છે મૂળ ધાંગધ્રા રહેવાસી અને છેલ્લા ઘણા વારસોથી મોરબીમાં રહેતા મયુરભાઈ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામકાજ કરે છે અને હાલ તેઓએ કયા કારણોસર ઉપરોક્ત પગલું ભર્યું એ દિશામાં પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

બાળકી સારવારમાં

મોરબીના રણછોડગઢ માથક ગામની રહેવાથી અંજુબેન અરવિંદભાઈ ગઢૈયા નામની બાર વર્ષની બાળકીને માથક ગામે ઘરની પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને અહિંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અંજુબેનને રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળે છે.

ફૂડ પોઈસઝનીંગ થતા સારવારમાં

મોરબીના નવલખી-કંડલા બાયપાસ રોડ ઉપર ૨૫ વારીયાના ક્વાર્ટરમાં રહેતા દેવુબેન નથુભાઈ સોલંકી (૬૦) અને નરસી નથુભાઈ સોલંકી (૩૦) નામના માતા પુત્રને ફુડ પોઇઝનની અસર થવાથી બંનેને સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.જોકે સારવાર બાદ એ ડિવિઝન પોલીસને મથકના પી.એચ.બોરાણા દ્વારા નિવેદનો લેવાતા ખુલ્યુ હતુ કે બંનેને ચક્કર આવી જતા પડી જતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

બાઈક સલીપ થતા  ઇજા

મોરબીના પીપળી-જેતપર રોડ ઉપર આવેલ આર્કિસ્ટોન સીરામીક નજીક રહેતો મીન્ટુભાઈ શંભુભાઈ પંડિત નામનો ૨૬ વર્ષીય પરપ્રાંતિય મજૂર ગત તા.૨૫ ના દસેક વાગ્યે પોતાનું બાઇક લઈને જતો હતો.ત્યારે જેતપર રોડ ઉપર આવેલ સીયારામ સિરામીક નજીક તેનું બાઇક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.






Latest News