તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મંત્રીએ ભાંગરો વાટ્યો: મોરબીમાં બ્રિજેશભાઈ મેરજાએ અટલ ટીકરીંગ લેબને અટલ લિંકરિંગ લેબ કરી નાખી !


SHARE











મંત્રીએ ભાંગરો વાટ્યો: મોરબીમાં બ્રિજેશભાઈ મેરજાએ અટલ ટીકરીંગ લેબને અટલ લિંકરિંગ લેબ કરી નાખી !

મોરબીના શનાળા ગામ પાસે આવેલ સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર તેમજ સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર સંકુલ ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં અટલ ટીકરીંગ લેબના લોકાર્પણનો કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં આવેલા મંત્રીએ જે લેબનું લોકાર્પણ કર્યું હતું તેના નામમાં પણ ભાંગરો વાટ્યો હતો અને અટલ ટીકરીંગ લેબના બદલે અટલ લિંકરિંગ લેબ નામનો ઉપયોગ કર્યો હતો

મોરબી શનાળા ગામ પાસે આવેલ સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર તેમજ સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર સંકુલ ખાતે અટલ ટીકરીંગ લેબનું રાજ્યના પંચાયત વિભાગના મંત્રી અને મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યારે આ કાર્યક્રમમાં શાળાના સંચાલક જયંતિભાઈ રાજકોટિયા તેમજ આગેવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ હાજર રહ્યા હતા ત્યારે સ્કૂલના સંચાલકએ જણાવ્યું હતું કેવર્તમાન સમય વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી જેથી કરીને બાળકો નાનપણથી જ વિજ્ઞાન અને ટેક્નોલોજીની સમજ તથા તેના જુદા જુદા પ્રયોગો થકી તેઓ માનસિક વિકાસ થાય તે માટે થઇને સરકાર દ્વારા અટલ ટીકરીંગ લેબ મંજૂર કરવામાં આવે છે

આ લેબ માટે સરકાર દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે અને તેનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ વધુ ટેકનોલોજી તરફ વડે તેના માટેના પ્રયાસો કરવામાં આવશે તો રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબીની શાળામાં જે લેબનું લોકાર્પણ કર્યું હતું તેના થકી બાળકોના ઉજવળ ભવિષ્યની વાત કરી હતી જો કે, તેઓએ વિદ્યાર્થી અને વાલી સહિતનાઓને સંબોધન કરતાં સમયે તેમજ પત્રકારોને માહિતી આપતા સમયે અટલ ટીકરીંગ લેબની જગ્યાએ તેઓએ અટલ લિંકરિંગ લેબ નામનો ઉપયોગ કર્યો હતો આમ જેનું લોકાર્પણ કર્યું તે લેબના નામમાં જ મંત્રીએ ભાંગરો વાટતા શૈક્ષણીક સંસ્થાના લોકો તેમજ વાલીઓ સહિતનાઓમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બનેલ હતો






Latest News