મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારાના જબલપુરમાં પરિણીતાના આપઘાતના બનાવમાં જમાઈ, વેવાઈ અને વેવાણ સામે ગુનો નોંધાયો


SHARE











ટંકારાના જબલપુરમાં પરિણીતાના આપઘાતના બનાવમાં જમાઈ, વેવાઈ અને વેવાણ સામે ગુનો નોંધાયો


ટંકારાના જબલપુર ગામે રહેતી પરિણીતાએ કોઈ કારણોસર પોતાના ઘરે ગળાફસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતકની માતાએ હાલમાં તેના જમાઈ અને વેવાઈ વેવાણની સામે દીકરીને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે હાલમાં મૃતકના પતિ, સાસુ અને સસરાની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા જયદીપભાઇ ભાલોડીયાના પત્ની સુમીતાબેન જયદીપભાઈ (૨૪) એ પોતાના ઘરની અંદર બંધ રૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં મૃતક મહિલાની માતા કમળાબેન ભીખાભાઇ વાલજીભાઇ સીણોજીયા જાતે પટેલ (૪૫) (રહે. હડમતીયા) વાળાએ તેની વેવાણ દુર્ગાબેન ભુદરભાઇ ભાલોડીયા, વેવાઈ ભુદરભાઇ રૂગનાથભાઇ ભાલોડીયા અને જમાઈ જયદીપભાઇ ભુદરભાઇ રહે. બધા જબલપુર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરી સુમિતાને તેના સાસુ અને સસરા ઘરના પાણીની મોટરમાંથી પાણી ઉપર ચડાવવા બાબતે લાઇટ બીલ વધુ આવે છે. તેમજ ઘરકામ બાબતે મેણાટોણા મારી માનસીક દુઃખત્રાસ આપતા હતા તેમજ તેના પતિને સુમિતાએ આંખના નંબર હોય માથાનો દુખાવો થતો હતો જેથી દવાખાને લઇ જવાનું અવાર નવાર કહ્યું હતું જો ક,એ દવાખાને નહી લઇ જઇ ધ્યાન ન આપી તેની સાથે ચશ્મા પહેરવા બાબતે તેમજ બ્યુટીપાર્લરનું કામ નહી કરવા બાબતે બોલાચાલી કરી માનસીક દુઃખત્રાસ આપ્યો હતો અને મારવા માટે મજબૂર કરી હતી જેથી કરીને તેની દીકરીએ ગળેફાસો ખાઇને આપઘાત કરેલ છે આ ફરિયાદના આધારે પોલીસે આઇપીસી કલમ ૩૦૬૪૯૮(ક)૧૧૪ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News