મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

ગુજરાત માલધારી સેનાના પ્રમુખે લંપીના લીધે મૃત્યુ પામેલા અબોલજીવની પશુપાલકોને સહાય આપવા કરી માંગ


SHARE











ગુજરાત માલધારી સેનાના પ્રમુખે લંપીના લીધે મૃત્યુ પામેલા અબોલજીવની પશુપાલકોને સહાય આપવા કરી માંગ

મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર લંપી વાયરસના કારણે ઘણા દુધાળા પશુઓ મૃત્યુ પામ્યા છે અને ઘણા પશુઓ હાલમાં સારવાર હેઠળ છે ત્યારે માલધારીઓની પરિસ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે જેથી કરીને ગુજરાત માલધારી સેના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને લંપી વાયરસના કારણે દુધાળા પશુઓ મૃત્યુ પામ્યા હોય તેની સામે પશુપાલકોને સહાય આપવામાં આવે અને આ રોગને કાબૂમાં લેવા માટે થઈને નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી નજીકના સનાળા ગામ પાસેથી રાજપર રોડ ઉપર જવાના રસ્તે રહેતાં ગુજરાત માલધારી સેનાના પ્રમુખ ધર્મેશભાઈ આંબાભાઈ રબારી દ્વારા હાલમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તેમણે જણાવ્યું છે કે, લંપી વાયરસના કારણે હાલમાં મોરબી તેમજ સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર અનેક દુધાળા પશુઓ છેલ્લા દિવસોમાં મૃત્યુ પામ્યા છે અને ઘણા અસરગ્રસ્ત અબોલ જીવા હાલમાં સારવાર હેઠળ છે જેથી માલધારીની પરિસ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે અને દુધાળા પશુઓના મૃત્યુ થવાના કારણે તેઓની આજીવિકાનો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે ત્યારે પશુપાલકોને દૂધાળા પશુ મૃત્યુ પામેલ હોય તો તાત્કાલિક સરકાર તરફથી સહાય ચુકવવામાં આવે અને હાલમાં જે લંપી વાયરસ સમગ્ર ગુજરાતમાં બેકાબૂ છે તેને કાબૂમાં લેવા માટે થઈને નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો આવી જ પરિસ્થિતિ રહેશે તો આગામી દિવસોમાં માલધારીઓની મુશ્કેલી વધી શકે તેમ છે તેવું હાલમાં ધર્મેશભાઈ રબારીએ જણાવ્યું છે






Latest News