મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે સરમરિયા દાદા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે


SHARE











મોરબીના પાનેલી ગામે સરમરિયા દાદા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

મોરબી તાલુકાના પાનેલી ગામે સરમરિયા દાદા નવ નિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે અને આગામી તા ૩૧ ના રોજ સવારે ૯:૩૦ કલાકે ભવ્ય શોભાયાત્રા યોજાશે જે બાદ રાત્રીના ૧૦ કલાકે ભજનિક રામદાસ ગોંડલીયા અને સોનલબેન ઠાકોરના કંઠે સંતવાણી યોજાશે જેમાં ભાવેશભાઈ ભરવાડ રાસ ગરબાની રમઝટ બોલાવશે.

આગામી તા.૧ ઓગસ્ટના રોજ રમરિયા દાદા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેમાં  સવારે ૯:૧૫ કલાકે મહાયજ્ઞ, બપોરે ઈંડુ સ્થાપના, ધ્વજારોહણ અને મહાઆરતી કરવામાં આવશે. તેમજ બપોરે મહાપ્રસાદ યોજાશે. ત્યારે આ ધાર્મિક કાર્યમાં સમસ્ત પાનેલી ગામને અને મોરબીની ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, સમસ્ત પાનેલી ગામના લોકફાળાથી ગામના  કુળદેવતા સરમરીયા દાદાના નવનિર્મિત મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે સંતવાણી સહિત કાર્યક્રમ યોજાશે જેમાં સમસ્ત પાનેલી ગામ અને પાનેલી ગામની તમામ સમાજની બહારગામ સાસરે હોય તે બહેન દીકરી અને ભાણેજાને જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News