મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે સરમરિયા દાદા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે


SHARE











મોરબીના પાનેલી ગામે સરમરિયા દાદા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

મોરબી તાલુકાના પાનેલી ગામે સરમરિયા દાદા નવ નિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે અને આગામી તા ૩૧ ના રોજ સવારે ૯:૩૦ કલાકે ભવ્ય શોભાયાત્રા યોજાશે જે બાદ રાત્રીના ૧૦ કલાકે ભજનિક રામદાસ ગોંડલીયા અને સોનલબેન ઠાકોરના કંઠે સંતવાણી યોજાશે જેમાં ભાવેશભાઈ ભરવાડ રાસ ગરબાની રમઝટ બોલાવશે.

આગામી તા.૧ ઓગસ્ટના રોજ રમરિયા દાદા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે જેમાં  સવારે ૯:૧૫ કલાકે મહાયજ્ઞ, બપોરે ઈંડુ સ્થાપના, ધ્વજારોહણ અને મહાઆરતી કરવામાં આવશે. તેમજ બપોરે મહાપ્રસાદ યોજાશે. ત્યારે આ ધાર્મિક કાર્યમાં સમસ્ત પાનેલી ગામને અને મોરબીની ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. અત્રે ઉલેખનીય છે કે, સમસ્ત પાનેલી ગામના લોકફાળાથી ગામના  કુળદેવતા સરમરીયા દાદાના નવનિર્મિત મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે સંતવાણી સહિત કાર્યક્રમ યોજાશે જેમાં સમસ્ત પાનેલી ગામ અને પાનેલી ગામની તમામ સમાજની બહારગામ સાસરે હોય તે બહેન દીકરી અને ભાણેજાને જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News