મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડામાં જુગારની રેડ પડતાં જુગારીઓના નાશભાગ: ૩.૧૫ લાખના મુદામાલ સાથે ૭ ઝડપાયા, ૩ ફરાર


SHARE











વાંકાનેરના રાતાવિરડામાં જુગારની રેડ પડતાં જુગારીઓના નાશભાગ : ૩.૧૫ લાખના મુદામાલ સાથે ૭ ઝડપાયા, ૩ ફરાર

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે રહેણાક મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી સહિતના જુગાર રમતા શખ્સોમાંથી ત્રણ જુગારી નાશી છૂટ્યા હતા જો કે, સાત જુગારીને પોલીસે ઝડપી લીધા હતા અને તેની પાસેથી પોલીસે રોકડ, મોબાઈલ અને વાહન મળીને ૩,૧૫,૫૦૦ નો મુદામાલ કબજે કરેલ છે.(Jugar, glembing) Whakaner-MORBI

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે રહેતા કિશનભાઇ પ્રેમજીભાઈ અંબાસણીયાના રહેણાંક મકાનની અંદર જુગાર રમતા હોવાની બાતમી સ્ટાફના મયુરધ્વજસિંહ જાડેજા તથા હરીશચંદ્રસિંહ ઝાલાને મળી હતી જેના આધારે પીએસઆઅ આર.એ.જાડેજા સહીતના પોલીસ સ્ટાફે ત્યાં જુગારની રેડ કરી હતી. ત્યારે જુગાર રમતા શખ્સોમાં નાશ ભાગ મચી ગઈ હતી અને તકનો લાભ લઈને ઘરધણી કિશનભાઇ પ્રેમજીભાઈ અંબાસણીયા, દેવજીભાઈ રામસંગ રીબડીયા અને ગોવિંદભાઈ ગિરધરભાઈ સરાવાડીયા સ્થળ ઉપરથી નાસી છુટ્યા હતા જોકે પોલીસે ઘરની અંદર જુગાર રમતા શખ્સોમાંથી જીતુ ઉર્ફે જીતો લાખાભાઈ વીરસોડિયા, ઉમેશભાઈ ઉર્ફે લાલો વેલજીભાઈ બાવરવા, ધનજીભાઈ દિનેશભાઈ ઉકેડીયા, ભરતભાઈ ઉર્ફે મુન્નો ભગવાનજીભાઈ જિંજવાડીયા, મહેશભાઈ ઝીણાભાઈ મેરજીયા, વિવેકભાઈ દિનેશભાઈ ડોડીયા અને દેવેન્દ્રભાઈ ઓમપ્રકાશ શર્માની ધરપકડ કરેલ છે અને તેમની પાસેથી ૬૦,૦૦૦ રૂપિયા રોકડા, ૫૦,૦૦૦ રૂપિયાની કિંમતના ૧૦ મોબાઇલ ફોન તેમજ બે લાખ પાંચ હજાર રૂપિયાની કિંમતના વાહનો આમ કુલ મળીને ૩,૧૫,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં જુગારધારા હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને નાસી છૂટેલા ઘરધણી સહિતના ત્રણ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.






Latest News