મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના વરડુસરનો બનાવ : તું અહીંથી કેમ ચાલે છે આ મારું ખેતર છે તેવું કહીને નાનાભાઈએ મોટાભાઈને માર માર્યો..!


SHARE











વાંકાનેરના વરડુસરનો બનાવ : તું અહીંથી કેમ ચાલે છે આ મારું ખેતર છે તેવું કહીને નાનાભાઈએ મોટાભાઈને માર માર્યો..!

વાંકાનેર તાલુકાના વરડુસર ગામે રહેતો યુવાન તેના ખેતર તરફ જતો હતો અને તેના નાના ભાઈના ખેતરમાંથી રસ્તો નીકળતો હોય તે ત્યાંથી પસાર થતાં તેને રોકીને “તું અહીંથી કેમ ચાલે છે આ મારું ખેતર છે” તેવું કહીને તેને ગાળોને ઝઘડો કરીને લાકડીના ધોકા વડે તેને માર માર્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને સારવારમાં લાવ્યા હતા ત્યાર બાદ યુવાને પોતાના નાના ભાઈની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના વરડુસર ગામે રહેતા મનસુખભાઈ જાદુભાઈ નદાસિયા જાતે કોળી (ઉમર 32)એ તેના નાના ભાઈ જયસુખભાઈ જાદુભાઈ નદાસિયા જાતે કોળી રહે વરડુસર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે વરડુસર ગામેથી ભેરડાના રસ્તે ઝંડિયાવાળા ખેતરમાં તેને તેના નાના ભાઈએ માર માર્યો હતો જેથી તેને ઈજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો વધુમાં તેને જણાવ્યું છે કે પોતાનું ખેતર તેના નાના ભાઈના ખેતરની બાજુમાં જ આવેલ છે અને બંનેના ખેતર તરફ જવાનો એક જ રસ્તો હોય તે રસ્તા ઉપરથી ફરિયાદી મનસુખભાઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે “તું અહીંથી કેમ ચાલે છે આ ખેતર મારું છે” તેવું કહીને તેના નાના ભાઈએ તેને ગાળો આપીને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ લાકડી વડે માર માર્યો હતો જેથી ભોગ બનેલા મનસુખભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને પોતાના નાનાભાઈની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News