મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં લમ્પી ડીસીઝના ૬૦ કેસ: ૭૦૦૦ થી વધુ ઢોરને રસી મૂકવામાં આવી


SHARE











વાંકાનેર તાલુકામાં લમ્પી ડીસીઝના ૬૦ કેસ: ૭૦૦૦ થી વધુ ઢોરને રસી મૂકવામાં આવી

હાલમાં ગાય/ભેંસમાં નવો રોગ લમ્પી સ્કીન ડીસીઝ-ગાંઠદાર ચામડીનો રોગ વધુ જોવા મળી રહયો છે ત્યારે જો વાત કરીએ વાંકાનેર તાલુકાની તો આ તાલુકામાં ૬૦ જેટલા લમ્પીના કેસ નોંધાયા છે જે ઢોરને લમ્પીનો રોગ છે તેની સારવાર ચાલી રહી છે સાથોસાથ તાલુકામાં ૭૦૦૦ જેટલા ઢોરને રસી પણ મૂકવામાં આવી છે

અત્યાર સુધી મોરબી જિલ્લાના ૮૫ જેટલા ગામમાં ૨૬૭ પશુઓમાં લમ્પી રોગ જોવા મળ્યો છે. અને દિન પ્રતિદિન કેસ મળી રહ્યા છે ત્યારે જો વાંકાનેર તાલુકાની વાત કરીએ તો આજની તારીખે આ તાલુકામાં ૬૦ થી વધુ કેસ છે અને હજુ પણ કેસ વધે તેવી શ્ક્યતા છે ત્યારે ૧૯૬૨ - મોબાઈલ પશુ દવાખાના તેમજ પશુ દવાખાનાની ટીમ દ્વારા સારવાર ઢોરની સારવાર કરવામાં આવી રહી છે. અને પશુઓમાં આ રોગ પ્રવેશ ન કરે તે માટે રસીકરણ ઝુંબેશ પણ કરવામાં આવી રહી છે પશુપાલન વિભાગ દ્વારા પશુઓને સુરક્ષિત બનાવવા કવાયત કરવામાં આવી રહી છે ખાસ કરીને જે વિસ્તારમાં વધુ કેસ જોવા મળે છે તે પંથકમાં આસપાસના વિસ્તારમાં વેક્સિનેશન તેમજ સારવાર ઝડપી મળી રહે તે માટે પશુપાલન વિભાગ અને મોબાઈલ પશુ દવાખાના તથા કરૂણા એમ્યુલન્સ સહિતની ટીમ ખડે પગે રહે છે. આ રોગ માખી, મચ્છર, જૂ, ઇતરડી દ્વારા તથા સીધા સંપર્ક દ્વારા ફેલાતો હોઈ પશુઓની આસપાસ સાફ સફાઈ રાખવી, પશુમાં આ બીમારીના લક્ષણ જણાયે તેને અલગ રાખવું તેમજ તુરંત જ સારવાર માટે નજીકના દવાખાનમાં કે હેલ્પ લાઈન નંબર ૧૯૬૨ ને જાણ કરવા માટે જણાવ્યુ છે






Latest News