ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં બાઈક સાથે બાઈક અથડાવી દંપતીને માર મારનાર ચારની શોધખોળ


SHARE











મોરબીમાં બાઈક સાથે બાઈક અથડાવી દંપતીને માર મારનાર ચારની શોધખોળ

મોરબીમાં બાઇક લઇને જતાં દંપતીના બાઈક સાથે અન્ય બાઇક અથડાયુ હતુ તે વાતને લઇને ચાર અજાણ્યા ઇસમોએ ઝઘડો કરીને સતવારા દંપતીને માર મારતાં બંનેને સારવારમાં ખસેડાયા હતા અને બાદમાં ચાર અજાણ્યા લોકો સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે. 

"ચોરી પે શીનાજોરી" જેવા ઉપરોકત બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં આવેલ હદાણીની વાડી વિસ્તારમાં રહેતા ભરતભાઈ ભગવાનજીભાઈ કણજારીયા (ઉંમર ૨૮) તેમના પત્ની ભગવતીબેન (ઉંમર ૨૬) ની સાથે બાઈકમાં દેવશ્રી ગાયનેક હોસ્પિટલે બતાવવા માટે ગયા હતા અને ડોકટરને બતાવીને પરત ઘરે જતા હતા ત્યારે શનાળા રોડ સ્કાય મોલ પાસે તેમના બાઇકની સાથે અન્ય બાઇક અથડાયુ હતું. ત્યારબાદ ચાર અજાણ્યા ઇસમોએ ફરિયાદી ભરતભાઈ અને તેમના પત્ની ભગવતીબેન સાથે ઝઘડો કરી ગાળો આપી હતી અને બાદમાં દંપતીને માર મારતા ભરતભાઈ અને ભગવતીબેનને સારવારમાં લઈ જવાયા હતા સારવાર બાદ ભરતભાઈ કણજારીયાએ ચાર અજાણ્યા ઇસમોની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા હાલમાં હમીરભાઈ ગોહિલે માર મારીને નાસી છૂટેલા ચાર હુમલાખોરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News