મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ચિત્રાખડાનો બનાવ : હોસ્ટેલમાં રહેવુ ન ગમતુ હોય ગળેફાંસો ખાઈ જતા સગીરા સારવારમાં


SHARE







વાંકાનેરના ચિત્રાખડાનો બનાવ : હોસ્ટેલમાં રહેવુ ન ગમતુ હોય ગળેફાંસો ખાઈ જતા સગીરા સારવારમાં

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે રહેતી સગીરવયની યુવતી તેના ઘેર ગળેફાંસો ખાઈ જતા તેણીને સારવાર માટે મોરબી ખસેડવામાં આવી હતી અને બનાવમાં સામે આવ્યું હતું કે તેણીને હોસ્ટેલમાં રહેવા જવું ન હોય અને તે બાબતનું માઠું લાગી આવતા તેણીએ ઉપરોકત પગલું ભર્યું હતું..!

બનાવની જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે રહેતી કિંજલબેન ચતુરભાઈ પ્રભુભાઈ ડાભી નામની ૧૩ વર્ષીય સગીરાએ તેના ઘેર ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી કરીને તેણીને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.બનાવને પગલે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના પ્રદીપભાઈ બોરાણાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ખુલ્યુ હતુ કે કિંજલબેનને સાયલા તરફ કોઈ હોસ્ટેલમાં ધોરણ-૯ માં અભ્યાસ માટે બેસાડવામાં આવ્યા હોય પણ તેણીને ત્યાં હોસ્ટેલમાં રહેવું ગમતું ન હોય અને ત્યાં જવુ ન હોય તે બાબતનું મનોમન લાગી આવતા ઉપરોક્ત પગલું ભરી લીધું હતું અને જેથી કરીને તેને સારવારમાં ખસેડાઇ હતી.

વાહન અકસ્માતમાં ઈજા

માળિયા મીંયાણાના કાજરડા ગામે રહેતા કરીમભાઈ દાઉદભાઈ ખલીફા નામનો ૩૪ વર્ષીય યુવાન માળિયા હાઇવે ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે સાંજના ચારેક વાગ્યે લક્ષ્મીનગર ગામ પાસે તેના બાઈક સાથે ગાય અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ઇજાઓ થતા કરીમભાઈને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબી નજીકના ભરતનગર ગામે રહેતા જગરાજસિંગ લોહારસિંગ નામના ૫૨ વર્ષીય આધેડ સોરીસો સિરામિક પાસે ટ્રકમાંથી નિચે પડી જતા ઈજાઓ થતા સારવારમાં ખસેડાયા હતા.

મારામારીમાં ઈજા

મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા પીન્ટુ કાંતિલાલ બોપલિયા નામના ૨૯ વર્ષીય યુવાનને બેલા નજીક આવેલ ખોખરા હનુમાન મંદિર પાસે મારામારીના બનાવમાં ઈજાઓ થવાથી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો. જ્યારે હળવદના પલાસણ ગામના રહેવાસી રમેશભાઈ અરજણભાઈ મુંધવા નામના ૨૬ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવ અંગે પ્રાથમિક તપાસ કરીને હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News