મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડના પડતર બિલ્ડીંગમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડના પડતર બિલ્ડીંગમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડમાં આવેલ પડતર બિલ્ડીંગમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી મૃતક યુવાનના ભાઈએ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલ.ઇ. કોલેજ રોડ ઉપર આવેલ એલ.ઇ. ગ્રાઉન્ડમાં પડતર બિલ્ડીંગની અંદર રોહિતભાઈ રમેશભાઈ વાહોડીયા જાતે દેવીપુજક (ઉંમર ૨૨) નામના યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી મૃતક યુવાનના ભાઈ અક્ષયભાઈ રમેશભાઈ વાહોડીયા જાતે દેવીપુજક (ઉંમર ૨૪) રહે. સર્કિટ હાઉસ સામે મફતિયાપરા વાળાએ આપઘાતના બનાવવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે એલ.ઇ. ગ્રાઉન્ડમાં પહોચી હતી ત્યારે બિલ્ડિંગમાં ઉપરના માળે પ્લાસ્ટિકની દોરી બાંધીને યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી પોલીસે મૃતક યુવાનના ડેડબોડીને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને યુવાને ક્યાં કારણોસર આપઘાત કરે છે તે દિશામાં તપાસ શરૂ કરી હતી

યુવતી મળી આવી

મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા આધેડ રમેશભાઈ ચૌહાણે પોતાની દીકરી ગુમ થઈ હોવા અંગેની થોડા સમય પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ દ્વારા યુવતીને શોધવા માટે તપાસ કરવામાં આવતી હતી દરમ્યાન હાલમાં ગુમ થયેલ યુવતી પાયલબેન રમેશભાઈ ચૌહાણ મળી આવી છે અને તેને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં રહેતા વિજય રમણીકભાઈ પંડ્યા (30) સાથે પ્રેમ સંબંધ હોવાથી તે પોતાની જાતે પોતાના ઘરેથી ચાલી ગઈ હોવાનું તેને પોલીસે જણાવ્યું છે






Latest News