મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

“વાહ રે વિકાસ ?”: મોરબી જિલ્લામાં કોટડાનાયાણીથી વાલાસણનો રોડ છ માહિનામાં તૂટી ગયો !


SHARE











“વાહ રે વિકાસ ?”: મોરબી જિલ્લામાં કોટડાનાયાણીથી વાલાસણનો રોડ માહિનામાં તૂટી ગયો !

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં કોટડાનાયાણીથી વાલાસણનો રોડ મુખ્યમંત્રી ગ્રામ સડક નિર્માણ યોજના હેઠળ બનાવવામાં આવેલ છે આ રોડ નબળો બનાવ્યો હોવાથી સરપંચ સહિતના લોકોમાં રોષની લાગણી છે અને આ ગામના સરપંચની આગેવાનીમાં જીલ્લા પંચાયતમાં આવેદન પત્ર પાઠવીને રોડ રીપેર કરવાની માંગ કરવામાં આવી છે તેમજ રોડ ગણતરીના મહિનાઓમાં જ તૂટી ગયો હોવાથી માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીની ઘોર બેદરકારી હોવાનો આક્ષેપ પણ લોકોએ કર્યો છે

વાંકાનેર તાલુકાનાં કોટડાનાયાણી ગામના સરપંચ રતનબા વિજયસિંહ જાડેજા અને ગ્રામજનો ગઇકાલે જિલ્લા પંચાયત કચેરીએ આવ્યા હતા અને ત્યાં આવેદન પત્ર પાઠવાયું હતું જેમાં લખ્યું છે કે, કોટડાનાયાણીથી વાલાસણ ગામ વચ્ચે રોડ છ માસ પહેલા જ બનાવવામાં આવેલ છે ત્યાં તે રોડ ઉપરથી ડામર અને કાંકરી છૂટા પડી ગયા છે અને રોડની સાઈડ બાંધેલ નથી જેથી કપચી અલગ પડેલ છે અને ૧૫૦ એમ.એમ. જી.એસ.બી. નાખવાની હતી જે રોડ ૬ કિમીનો થાય તેના બદલે માત્ર ગુણવંતરાયની વાડીથી મહેન્દ્રસિંહની વાડી સુધી જી.એસ.બી નાખેલ છે માત્ર અડધા કીમીમાં જીએસબી નાખેલ છે બાકી સાડા પાંચ કીમીમાં ક્યાય જીએસબી નાખી નથી અને ૫૦ એમ.એમ. ડામર પાણા નાખવાના હતા તે નાખેલ નથી માટીકામ થયેલ નથી તેમજ રોડમાં ૨૦ એમ.એમ.ના બદલે ૧૦ એમ.એમ.ની બી ટૂ મીનસ કાર્પેટ બનાવી નાખેલ છે અને ડામર ઓરીજીનલ નથી જે ખામીઓને કારણે રોડ છ માહિનામાં તૂટી ગયો છે આમ રીસર્ફેસિંગ ઓફ વાલાસણ ટૂ કોટડાનાયાણી એપ્રોચ રોડ ૧.૬૬ કરોડના ખર્ચે મંજુર થયેલ છે જે રોડનું કામ નબળું કરવામાં આવ્યું છે માટે રોડને તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીએ સ્થળ મુલાકાત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરવા માટે આવેલા લોકોને ખાતરી આપી છે જો કે, રોડ રીપેર કરવામાં આવશે કે કેમ અને બેદરકાર અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવશે કે નહીં તે તો સમય જ બતાવશે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News