મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

“વાહ રે વિકાસ ?”: મોરબી જિલ્લામાં કોટડાનાયાણીથી વાલાસણનો રોડ છ માહિનામાં તૂટી ગયો !


SHARE







“વાહ રે વિકાસ ?”: મોરબી જિલ્લામાં કોટડાનાયાણીથી વાલાસણનો રોડ માહિનામાં તૂટી ગયો !

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં કોટડાનાયાણીથી વાલાસણનો રોડ મુખ્યમંત્રી ગ્રામ સડક નિર્માણ યોજના હેઠળ બનાવવામાં આવેલ છે આ રોડ નબળો બનાવ્યો હોવાથી સરપંચ સહિતના લોકોમાં રોષની લાગણી છે અને આ ગામના સરપંચની આગેવાનીમાં જીલ્લા પંચાયતમાં આવેદન પત્ર પાઠવીને રોડ રીપેર કરવાની માંગ કરવામાં આવી છે તેમજ રોડ ગણતરીના મહિનાઓમાં જ તૂટી ગયો હોવાથી માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીની ઘોર બેદરકારી હોવાનો આક્ષેપ પણ લોકોએ કર્યો છે

વાંકાનેર તાલુકાનાં કોટડાનાયાણી ગામના સરપંચ રતનબા વિજયસિંહ જાડેજા અને ગ્રામજનો ગઇકાલે જિલ્લા પંચાયત કચેરીએ આવ્યા હતા અને ત્યાં આવેદન પત્ર પાઠવાયું હતું જેમાં લખ્યું છે કે, કોટડાનાયાણીથી વાલાસણ ગામ વચ્ચે રોડ છ માસ પહેલા જ બનાવવામાં આવેલ છે ત્યાં તે રોડ ઉપરથી ડામર અને કાંકરી છૂટા પડી ગયા છે અને રોડની સાઈડ બાંધેલ નથી જેથી કપચી અલગ પડેલ છે અને ૧૫૦ એમ.એમ. જી.એસ.બી. નાખવાની હતી જે રોડ ૬ કિમીનો થાય તેના બદલે માત્ર ગુણવંતરાયની વાડીથી મહેન્દ્રસિંહની વાડી સુધી જી.એસ.બી નાખેલ છે માત્ર અડધા કીમીમાં જીએસબી નાખેલ છે બાકી સાડા પાંચ કીમીમાં ક્યાય જીએસબી નાખી નથી અને ૫૦ એમ.એમ. ડામર પાણા નાખવાના હતા તે નાખેલ નથી માટીકામ થયેલ નથી તેમજ રોડમાં ૨૦ એમ.એમ.ના બદલે ૧૦ એમ.એમ.ની બી ટૂ મીનસ કાર્પેટ બનાવી નાખેલ છે અને ડામર ઓરીજીનલ નથી જે ખામીઓને કારણે રોડ છ માહિનામાં તૂટી ગયો છે આમ રીસર્ફેસિંગ ઓફ વાલાસણ ટૂ કોટડાનાયાણી એપ્રોચ રોડ ૧.૬૬ કરોડના ખર્ચે મંજુર થયેલ છે જે રોડનું કામ નબળું કરવામાં આવ્યું છે માટે રોડને તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીએ સ્થળ મુલાકાત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરવા માટે આવેલા લોકોને ખાતરી આપી છે જો કે, રોડ રીપેર કરવામાં આવશે કે કેમ અને બેદરકાર અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવશે કે નહીં તે તો સમય જ બતાવશે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News